આજ રોજ મોદીજી નો જન્મદિવસ રાષ્ટ્રીય બેરોજગાર દિવસ તરીકે ઉજવ્યો હતો અને પ્રધાનમંત્રી મોદીજીએ દર વર્ષ 2 કરોડ યુવાઓ ને રોજગાર આપવાની જે વાત કહી હતી એની સામે મોદી સરકાર દ્વારા આઠ વર્ષ માં માત્ર 7 લાખ યુવાનો ને રોજગાર આપવામાં આવ્યા છે. આ બાબતો ને લઈ મોદીજીના જન્મ દિવસ નિમિતે બેરોજગાર દિવસ ની ઉજવણી કરી કેક કાપી વિરોધ કર્યો હતો.
આ પ્રસંગે કોંગી યુવાઓએ હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું કે, ૮ વર્ષની પનોતીનો આજે જન્મ દિવસ છે.જેને કોંગ્રેસ બેરોજગાર દિવસ તરીકે મનાવે છે. વર્તમાન સરકારે યુવાનોને હંમેશા નવા નવા વાયદા અને લોલીપોપ આપી રોજગારીની મોટી મોટી વાતો કરી ગુમરાહ કર્યા છે. મોદી સરકારના ૮ વર્ષના શાસનમાં જે રોજગારી હતી તે પણ છિનવી લેવાય છે. જેથી આગામી દિવસોમાં રોજગારી મળે તે હેતુથી આજે બેરોજગાર દિવસ કેક કાપી ઉજવાયો છે. આ ઉજવણીમાં ભરૂચના પાંચબત્તિ ખાતે મોંધવારી સંદર્ભે દેખાવો,સુત્રોચાર બાદ કેક કાપી કોંગી યુવાઓ ધિરેન કટારીયા,દિનેશ અડવાણી,નીખીલ શાહ,યોગી પટેલ,ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થીત રહ્યા હતા.