The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News અંકલેશ્વરમાં 73માં વન મહોત્સવ ઉજવણી કરવામાં આવી

અંકલેશ્વરમાં 73માં વન મહોત્સવ ઉજવણી કરવામાં આવી

0
અંકલેશ્વરમાં 73માં વન મહોત્સવ ઉજવણી કરવામાં આવી

અંકલેશ્વરના જીનવાલા કેમ્પસમાં આવેલા ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે સામાજીક વનીકરણ રેન્જ અંકલેશ્વરના ઉપક્રમે અંકલેશ્વર-હાંસોટ તાલુકા કક્ષાનો 73મો વન મહોત્સવ પૂર્વ મંત્રી ધારાસભ્ય વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વરના પ્રમુખ ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જીનવાલા કેમ્પસમાં મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક રક્ષક ઉર્વશી પ્રજાપતિ, નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્રસિંહ દેવધરા, અંકલેશ્વર તાલુકા પ્રમુખ અરવિંદ પટેલ, કારોબારી અધ્યક્ષ કલ્પેશ પટેલ, મામલતદાર કરણ રાજપુત, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી.વી.ડામોર, આચાર્ય ડૉ. કે.એસ.ચાવડા તેમજ ડૉ.જયશ્રી ચૌધરી સહીત આમંત્રિતો ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!