
ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018 ના રોજ 93 વર્ષની ઉંમરે નિધન થયું હતું. આજે તેમની ચોથી પુણ્યતિથિએ ભરૂચ કસક સ્થિત ભાજપ કાર્યાલય ખાતે તેમની તસવીર ઉપર ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.
અટલ બિહારી વાજપેયીને યાદ કરીને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ મારૂતિસીહ અટોદરીયા, વિધાનસભા ઉપમુખ્ય દંડક ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ, મંત્રી નિશાંત મોદી, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, નરેશ સુથારવાલા સહિતે વાજપેયીના ફોટા ઉપર ફુલહાર અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.