ભરૂચની શ્રવણ વિદ્યાધામ શાળામાં પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમ ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે પર્યાવરણ ક્વિઝ યોજવામાં આવી હતી.
આ ક્વિઝમાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં કુલ ચાર ટીમ બનાવવામાં આ ક્વિઝ માં વિદ્યાર્થીઓને પર્યાવરણના વિષય આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યા.આવી સ્પર્ધામાં ભાગ લેવાથી વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય છે. ઉપરાંત વિદ્યાર્થીઓમાં એકાગ્રતા ,નિર્ણય શક્તિ તથા પર્યાવરણ અંગેની જાગૃતિ કેળવાય તેવા ગુણોનો વિકાસ થાય છે અને વિદ્યાર્થી કાર્ય કરવા પ્રેરિત થાય છે.આ સ્પર્ધામાં મણિકર્ણિકા હાઉસ વિજેતા બનતા શાળા પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.