The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News જંબુસરના નાગેશ્વર તળાવમાં પગ લપસી જતાં ૧ યુવાનનું ડૂબી જતા મોત

જંબુસરના નાગેશ્વર તળાવમાં પગ લપસી જતાં ૧ યુવાનનું ડૂબી જતા મોત

0
જંબુસરના નાગેશ્વર તળાવમાં પગ લપસી જતાં ૧ યુવાનનું ડૂબી જતા મોત

જંબુસર નગરના નાગેશ્વર તળાવે ફરવા ગયેલ ત્રણ મિત્રો પૈકી એકનું પગ લપસતા તળાવમાં ડૂબવાના પગલે કરૂણ મોત નિપજ્યું હતું.

આ ઘટનામાં જંબુસરના નાગેશ્વર તળાવ પાસે બપોરે એક દોઢ વાગ્યાના આસપાસ ત્રણ મિત્રો ફરવા ગયા હતા. દરમિયાન ત્રણ પૈકી એક અબ્દુલ અનીસ શેખનો પગ લપસી જતા તળાવમાં પડતાની સાથે ઊંડાણમાં ઉતરી જતા બુમાબુમ કરતા સ્થાનિક લોકોએ યુવકની શોધખોળ કરી હતી. આશરે ૧ કલાકની મેહનત બાદ સ્થાનિકોની મદદથી આ યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવકને જંબુસર જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તઈબે યુવકને મૃત જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે એક આશાસ્પદ યુવાનના અચાનક મોતના પગલે પરિવાર સહિત મિત્રવર્તુળમાં ગમગીની છવાઇ હતી. આ યુવક જંબુસર ના પઠાણી ભાગોળનો રહેવાસી હતો અને યુવકની ઉમર આશરે 20 એક વર્ષની હતી તેવું જાણવા મળ્યું છે. હાલમાં તો પોલીસે અકસ્માત મોત નોંધી મૃતકની લાશનો કબ્જો મેળવી પી.એમ. અર્થે ખસેડી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!