રાજય સરકાર તરફથી મળેલ સુચના મુજબ કોવિડ-૧૯ અંતર્ગત ૧૮ થી ૫૯ વર્ષના તમામ લાભાર્થીઓને પ્રીક્રોશન (બુસ્ટર) ડોઝ ૧૫-જુલાઇ-૨૦૨૨ થી જન અભિયાન સ્વરૂપે ૭૫ દિવસ સુધી કોવિડ વેક્સિનેશન સંસ્થામાં વિના મુલ્યે આપવાનું નકકી થયેલ છે. જે માટે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્ર દ્વારા ભરૂચ જિલ્લાનાં ૨૦૦ થી ૨૫૦ કોવીડ વેક્સીનેશન સંસ્થાઓમાં સરકારશ્રીના સુચના મુજબ પ્રીક્રોશન (બુસ્ટર) ડોઝ ૭૫ દિવસ સુધી વિનામુલ્યે આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે,૧૮ થી ૬૦વર્ષના તમામ લાભાર્થીઓને કે જેઓને બીજા ડોઝનાં લીધાના ૬ માસ પૂર્ણ થયેલ હોય તેઓને પણ આ અભિયાનમાં આવરી લેવામાં આવશે.
હાલમાં કોરાનાનું સંક્રમણ વધી રહ્યું છે જેને અટકાવવા અને કોરોનાથી સુરક્ષિત રહેવા પ્રિકોશન (બુસ્ટર) ડોઝ લેવો ખુબ જ જરુરી છે. આથી જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય તરફથી ભરૂચ જિલ્લાની તમામ જાહેર જનતાને કોરોના સામેની આ લડાઈમાં તમામ જનતા કોરોનાની રસી લઈને સરકાર અને સમાજને મદદરૂપ થાય તેવી જિલ્લા પ્રશાસન તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે.