The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૭૫ દિવસનુ કોવિડ વેક્સિનેશનુ જન અભિયાન હાથ ધરાશે

રાજય સરકાર તરફથી મળેલ સુચના મુજબ કોવિડ-૧૯ અંતર્ગત ૧૮ થી ૫૯ વર્ષના તમામ લાભાર્થીઓને પ્રીક્રોશન (બુસ્ટર) ડોઝ ૧૫-જુલાઇ-૨૦૨૨ થી જન અભિયાન  સ્વરૂપે ૭૫ દિવસ સુધી કોવિડ વેક્સિનેશન સંસ્થામાં વિના મુલ્યે આપવાનું નકકી થયેલ છે. જે માટે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્ર દ્વારા ભરૂચ જિલ્લાનાં  ૨૦૦ થી ૨૫૦ કોવીડ  વેક્સીનેશન સંસ્થાઓમાં સરકારશ્રીના સુચના મુજબ પ્રીક્રોશન (બુસ્ટર) ડોઝ ૭૫ દિવસ સુધી વિનામુલ્યે આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે,૧૮ થી ૬૦વર્ષના તમામ લાભાર્થીઓને કે જેઓને બીજા ડોઝનાં લીધાના ૬ માસ પૂર્ણ થયેલ હોય તેઓને પણ આ અભિયાનમાં આવરી લેવામાં આવશે.

હાલમાં કોરાનાનું સંક્રમણ વધી રહ્યું છે જેને અટકાવવા અને કોરોનાથી સુરક્ષિત રહેવા પ્રિકોશન (બુસ્ટર) ડોઝ લેવો ખુબ જ જરુરી છે. આથી જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય તરફથી ભરૂચ જિલ્લાની તમામ જાહેર જનતાને કોરોના સામેની આ લડાઈમાં તમામ જનતા કોરોનાની રસી લઈને સરકાર અને સમાજને મદદરૂપ થાય તેવી જિલ્લા પ્રશાસન તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!