The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News રાજસ્થાનમાં જેહાદીઓ દ્વારા હત્યાના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળે આપ્યું આવેદન

રાજસ્થાનમાં જેહાદીઓ દ્વારા હત્યાના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળે આપ્યું આવેદન

0
રાજસ્થાનમાં જેહાદીઓ દ્વારા હત્યાના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળે આપ્યું આવેદન

ભરૂચ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળના સેજલ દેસાઈના નેજા હેઠળ ઉદેપુર રાજસ્થાનમાં થયેલ હત્યા મુદ્દે સજા અને જેહાદી માનસિકતા ધરાવતા લોકોનો આર્થીક બહિષ્કારની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.

આવેદનમાં જણાવાયું કે છેલ્લા ઘણા દિવસોથી હિંદુઓની નિર્દયતાથી હત્યાનો સિલસિલો ચાલી રહ્યો છે. આ હત્યાઓ પાછળ કેટલાક પાકિસ્તાની જેહાદીઓનો હાથ હોવાની શક્યતા જણાય છે, તેથી આવી માનસિકતા ધરાવતા જેહાદીઓએ ફાસ્ટ કોર્ટ લગાવીને એક મહિનામાં ફાંસીની સજા આપવી જોઈએ અને ઉદયપુરની ઘટના દર્દનાક ઘટના છે.તેના હત્યારાઓને એક મહિનામાં ફાંસી આપવામાં આવે.

પિડિતના પરિવારના એક સભ્યને સરકારી નોકરી મળવી જોઈએ અને આવી જેહાદી માનસિકતા ધરાવતા લોકોનો રાજસ્થાનમાં આર્થિક બહિષ્કાર કરવો જોઈએ.

આવી માનસિકતા ધરાવતા તમામ લોકોને શોધીને તેમની તાત્કાલિક ધરપકડ કરો, તેમની પાછળ કોણ છે, કોણ કાવતરાખોર છે, આવા લોકોની ઓળખ કર્યા પછી અને રાજસ્થાનમાં આવા લોકોના આશ્રયદાતા કોણ છે, આવા લોકોને પણ ફાંસી આપવામાં આવે જેથી ભવિષ્યમાં આવા દુષ્કર્મ કરનારા લોકોને કોઈપણ પ્રકારનો સહકાર ન મળે તે માટે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ.

કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઈસ્લામિક જેહાદી આતંકવાદ સામે ઈઝરાયેલની જેમ યુદ્ધ કરવું જોઈએ. મદરેસાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ ની દક્ષિણ ગુજરાતના પ્રાંત પ્રમુખ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના સેજલ દેસાઈ માંગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!