
અંકલેશ્વર દ્વારા આયોજિત કરવામાં આવેલ હતો. આગળના વર્ષોમાં ૧૦૮ કુંડી યજ્ઞ તથા ભરૂચ જિલ્લામાં સૌપ્રથમ વાર ભારતીય સૈન્ય માટે રક્તદાન કેમ્પમાં 700 બોટલ એકત્ર કરી મેજર મિહિર પાનસુરીયાની રક્તતુલા કરવામાં આવી હતી.બે વર્ષ પહેલાં ૫૧ કુંડી યજ્ઞ અને આ વર્ષે ૨૧ કુંડી યજ્ઞ જેમાં 25 જોડા બેઠા હતા.
અંકલેશ્વર ખાતે આ ચોથો લાપસી મહોત્સવ ઉજવાયો હતો.લાપસી ખોડીયારમાની પ્રિય પ્રસાદી છે .માતાજીના આ લાપસી મહોત્સવનો મુખ્યહેતુ ભક્તિ દ્વારા એકતાની શક્તિ અને સમાજ સેવાથી રાષ્ટ્ર સેવાનો છે.સમાજ સંગઠિત થાય એકતાતણે બંધાય તેવા પ્રયાસ સમાજ અને ખોડલધામ યુવા સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ લાપસી મહોત્સવ પ્રસંગે કાગવડ ખોડલધામ ના ચેરમેન નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પાટીદાર સમાજ અને ખોડલધામ સમિતિ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ ટીફીન સેવાયજ્ઞમાં 500 પરિવારને બીજી લહેર વખતે દસ હજાર કરતા વધુ ટીફીન સેવા પોતાના પરિવાર તેમજ સ્વાસ્થ્યની પરવા કર્યા વગર નિસ્વાર્થ ભાવે યુવા સમિતિએ ઘરેઘર સુધી પહોંચાડવામાં આવી હતી જેથી આવા યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
નરેશભાઈ પટેલે સમાજને સંગઠિત અને નેક થઈને રહેવા આપી હતી સીખ. ધાર્મિક કાર્યક્રમમાં રાજકીય વાતો ના થાય.ભરૂચ જિલ્લા અને અંકલેશ્વર સહિતની દરેક સમિતિઓ એકજુટ થઈને ઘણા ધાર્મિક,સામાજિક અને ઉત્કૃષ્ટ કાર્યો કરી રહી છે.સૌને ધન્ય છે આવીજ રીતે સમાજને બંધ મુઠ્ઠીએ રાખજો.પાણીદાર સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ છે.
- અતુલ પટેલ,ન્યુઝલાઇન,નેત્રંગ.