The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ઝઘડીયાના રાજપારડી ભાલોદ વચ્ચેના માર્ગ પર બે બાઇક વચ્ચે અકસ્માત,બેના મોત

ઝઘડીયાના રાજપારડી ભાલોદ વચ્ચેના માર્ગ પર બે બાઇક વચ્ચે અકસ્માત,બેના મોત

0
ઝઘડીયાના રાજપારડી ભાલોદ વચ્ચેના માર્ગ પર બે બાઇક વચ્ચે અકસ્માત,બેના મોત
  • મોતને ભેટનારા બન્ને બાઇક સવારો મુળ ભાવનગર જીલ્લાના વતની હતા

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ભાલોદ તરફ જતા માર્ગ પર શનિવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ૨ બાઇક સવારોના ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજ્યા હતા ઘટના અંગે રાજપારડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.રાઠોડને માહિતી મળતા તાકીદે સ્ટાફના જવાનો સાથે ઘટના સ્થળે પહોચ્યા હતા અને બચાવ કાર્ય સહિત ટ્રાફિકનુ સંચાલન કર્યુ હતુ.

શનિવારના રોજ ઓધાભાઇ ઉકાભાઇ ડોળાશીયા ઉ.વ.૬૦ અને શિવાભાઇ છગનભાઇ ડોળાશીયા ઉ.વ.૫૫ બન્ને રહે.ગામ જુનારાજપરા તા.તળાજા જી.ભાવનગર બાઇક પર સવાર થઇને રાજપારડી તરથી ભાલોદ તરફ જઇ રહ્યા હતા.દરમિયાન બાઇકની આગળ ચાલતી ટ્રકની ઓવરટેક કરવા જતા સામેથી આવતી બાઇક સાથે ભટકાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર ઓધાભાઇ અને શિવાભાઇ ટ્રકના પાછળના પૈડા નીચે આવીજતા બન્ને બાઇક સવારોના ઘટના સ્થળેજ મોત નિપજ્યા હતા જ્યારે આ અકસ્માતમાં અન્ય બાઇક સવાર મેહુલભાઇ માછી અને પરેશભાઇ મકવાણા બન્ને રહેવાસી ભાલોદ તા.ઝઘડીયાને નાનીમોટી ઇજાઓ પહોચી હતી.આ ઘટના સંદર્ભમાં રાજપારડી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

  • ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!