ભરૂચ જનરલ હોસ્પીટલના CDMO/RMO એસ.આર.પટેલનો વિદાયસમારંભ યોજાયો

0
118

જનરલ હોસ્પીટલ ભરૂચના ઇન્ચાર્જ સી.ડી.એમ.ઓ. અને આર.એમ.ઓ. એસ.આર. પટેલની માદરે વતન જનરલ હોસ્પીટલ વ્યારા ખાતે બદલી થતા તેમનો ભરૂચ જનરલ હોસ્પીટલ ખાતે વિદાયસમારંભ યોજાયો હતો.

જેમાં કે.એમ.સી.આર.આઇના ડીન ડૉ પરમાર,સી.ડી.એચ.ઓ. ડો દુલેરા, ડી.એલ.ઓ. ડૉ. આર.આર.ઝા,જનરલ હોસ્પીટલ ભરૂચના ભૂતપૂર્વ આર.એમ.ઓ. ડૉ. આર.સી.મહેતા સાથે તમામ મેડીકલ ઓફીસર તબીબો,વહીવટી અધિકારી અને અન્ય બદલી થયેલ વર્ગ-૧ના અધિકારીઓ સપરિવાર ઉપસ્થીત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થીત તબીબોએ ડૉ.એસ.આર. પટેલ સાથેની કામગીરીના સંસ્મરણો વાગોળતી વેળા દરેક્ની આંખો ભીની થઈ સૌ ભાવવિભોર બન્યા હતા.આ વિદાયમાન સમારંભનું આયોજન હાલના જનરલ હોસ્પીટલના આર.એમ.ઓ. ડૉ.અભિનવ શર્મા તથા ડૉ.ઉપાધ્યાયે કર્યું હતું. સમારંભમાં સૌએ બદલીના કારણે વિદાય લેતા ડૉ.એસ.આર.પટેલના દિર્ઘાયુ અને સુખી જીવન માટે શુભેચ્છાઓ આપી હતી. તો વિદાય વેળાએ ડો.એસ.આર.પટેલે પણ ઉપસ્થીત તમામનો અને સ્ટાફ સહિતનાઓનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here