The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચ : પાલિકામાં કરાયેલ શુદ્ધિકરણ કેસમાં RTI એક્ટીવિસ્ટોને મળી ક્લીનચીટ

ભરૂચ નગરપાલિકામાં વધતા ભ્રષ્ટાચારને પગલે આર.ટી.આઇ.એક્ટીવીસ્ટો દ્વારા પાલિકા ખાતે શુદ્ધિકરણ કાર્યક્રમ કરવામાં આવતા તમામ સામે પાલિકા તંત્ર દ્વારા ફરિયાદ કરાઇ હતી.જેમાં સત્યની જીત થઇ કોર્ટે પાલિકાની અરજી અને ફરિયાદ ફગાવી શુદ્ધિકરણ કરનાર તમામને ક્લીન ચીટ આપી હતી.

તા ૧૪-૦૨-૨૦૨૦ ના રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા એક FIR કરવામાં આવી હતી,જેમાં ધન્સ્યામભાઈ કનોજીયા ,જસવંતસિંહ ગોહિલ,રાજેશભાઈ પંડિત અને સંદીપભાઈ દેસાઈનાઓ દ્વારા ભરૂચ નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાને લઈને શુદ્ધીકરણ નો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.

જેના કારણે ભરૂચ નગરપાલિકા દ્વારા તેમના વિરુદ્ધ FIR કરી કોર્ટ માં કેસ મુકવામા આવ્યો હતો. જેમાં કોર્ટ દ્વારા ભરૂચ નગરપાલિકા દ્વારા કરાયેલ ફરિયાદને નામંજૂર કરવામાં આવી છે.સાથે એફ.આઇ.આર નોંધનાર અપી.આઇ તેમજ પાલિકા સત્તાધિશોની ઝાટકણી કાઢી પ્રજાના હિતમાં કાર્યો કરવા તાકીદ કરી હતી.  ધવલભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ન્યાયતંત્ર દ્વારા આવેલા ચુકાદામાં ખોટી અરજીઓ કરનારાઓને ચાબુક સમાન ફટકો પડ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!