ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓમાં તારીખ 26મીના રોજ ચૂંટણી યોજાશે. બુધવારના રોજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત કરાઇ હતી. આ પહેલાં સવારથી રાજયભરમાં ભાજપ તરફથી ઉમેદવારો નકકી કરવા નિરિક્ષકો દરેક જિલ્લામાં પહોંચ્યાં હતાં.ભરૂચ જિલ્લામાં ભાજપના 2 હજાર કરતાં વધારે કાર્યકરોએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી છે. સ્ટેશન રોડ પર આવેલી હોટલમાં પ્રદેશમાંથી આવેલાં પૂર્વ પ્રદેશ મંત્રી ડૉ. જીવરાજ ચૌહાણ, ગુજરાત ભાજપના આઈટી સેલ કન્વીનર નિખિલ પટેલ અને પ્રદેશ કારોબારી સભ્ય પ્રતિમા પરમારે ઉમેદવારોના સેન્સ લેવાની કાર્યવાહી હાથધરી હતી.
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ચૂંટણી લડવા માગતા કાર્યકરોના નામોને વિવિધ શ્રેણીમાં અલગ તારવવામાં આવશે. સ્વચ્છ છબી અને લોકપ્રિયતા ધરાવતાં કાર્યકરોની યાદીમાંથી ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. આગામી દિવસોમાં જયારેનિરિક્ષકોએ ચૂંટણી લડવા માગતા દાવેદારોને તમારે ચૂંટણી કેમ લડવી છે અને જીત્યા પછી શું કરવા માગો છો સહિતના સવાલો પૂછયાં હતાં.જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં ચૂંટણી લડવા માગતા કાર્યકરોના નામોને વિવિધ શ્રેણીમાં અલગ તારવવામાં આવશે. સ્વચ્છ છબી અને લોકપ્રિયતા ધરાવતાં કાર્યકરોની યાદીમાંથી ત્રણ નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. આગામી દિવસોમાં જયારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં પેનલમાંથી નામોની પસંદગી કરી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે.

