ચૂટણી પંચે જાહેર કરેલ જાહેરનામાંમાં ફેરફાર કરી ન્યાય મળે તે માટે ગ્રામજ્નોએ દ્વારા અપાયેલ અરજીમાં જનાવાયું છે કે, અગાઉ એટલે કે જે હાલમાં કાર્યરત ગ્રામ પંચાયતની બોડી વહીવટ કરી રહી છે તેના સરપંચ તરીકે મહિલા બિન અનામત ની બેઠક હતી, તેમાં બહુમતીથી ગામના મતદારોએ અનુસૂચિત આદિજાતિ મહિલા સરપંચ ને વિજયી બનાવી પાંચ વર્ષ માટે ગ્રામ પંચાયતનું સુકાન સોંપ્યું હતું. આમ બિન અનામત સ્ત્રી ની અગાઉની ટર્મમાં બેઠકની ફાળવણી થયેલ હતી તેમ છતાં ૨૦૨૧ માં જે જાહેરનામું બહાર પાડવામાં આવેલ ( જે હાલમાં સરપંચ / સભ્યોની ચુતાયેલી પાંખ છે તે બોડી )તેમાં પણ બિન અનામત કેટેગરીની ફાળવણી થયેલ છે ગામના સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) ના ઉમેદવારો અને મતદારો માટે શંકા અને અન્યાયની બાબત સેવાય તે સ્વાભાવિક છે.

ગામમાં અનુસૂચિત આદિજાતિ (ST) વસ્તી બાદ સામાજિક શૈક્ષણિક રીતે પછાત (માછી પટેલ, નિઝામા, કોળી, રાવળ, વાળંદ, લુહાર, સુથાર, વણઝારા) (SEBC) બીજા ક્રમે બહુમતી વસ્તી હોવા છતાં ઘણા વર્ષોથી ગ્રામ પંચાયતની સરપંચની OBC ની બેઠક ફાળવવામાં આવતી જ નથી. જે પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની નિયમો મુજબ બક્ષીપંચના નાગરિકોને ગ્રામ પંચાયતમાં સરપંચના પદ માટે ઉમેદવારી કરવાને માટે અન્યાયકર્તા છે. આમ રોટેશન પદ્ધતિમાં સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) નો નાગરીકો અને જન પ્રતિનિધિત્વ કરનાર ઉમેદવારોને તેનો લાભ મળતો નથી જે આશંકા ઉભી થાય એ વાસ્તવિક છે. આમ જોઈએ તો ગ્રામ પંચાયતમાં જે બોર્ડ બનાવેલ છે તેમાં ૧૯૨૪ થી આજ દિન સુધીમાં બિન અનામત (GENERAL)વર્ગના સરપંચ અને બીજા ક્રમે અનુસૂચિત જનજાતિ ST અનમાં વર્ગને વધુ પ્રાધાન્ય આપવામાં આવેલ છે.
વધુમાં શ્રી વનરાજ સિંહ પઢારીયા, નાયબ સચિવ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ની સહી થી સમગ્ર કલેકટરોને જાણ કરતા પત્રાંક : ચુંટણી-૧૦૨૦૧૬ -૧૭૦૬-૫/૬૯ ગુજરાત સરકાર, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંધીનગર, તા : ૦૮-૦૮-૨૦૧૬ અન્વયે .મુદ્દા (૬) મો નિયમ -૭ મુજબ સામાજિક શૈક્ષણિક પછાત (SEBC) વર્ગો માટે સરપંચના હોદ્દા અનામત રાખવા અંગે જોગવાઈ કરવામાં આવી છે જે અન્વયે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ-૫૧ ની પેટા કલમ- ૨ અન્વયે તાલુકાની કુલ ગ્રામ પંચાયતના ૧૦ ટકા સરપંચના હોદ્દા આ વર્ગ માટે અનામત રાખવાના છે જે અન્વયે જે ગ્રામ પંચાયતની આ વર્ગની વસ્તી ૫ % કરતા વધુ હોય તેવી ગ્રામ પંચાયતની યાદી ને અંગ્રેજીમાં ટકાવારી પ્રમાણે ગોઠવી તેને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ (SEBC-1, SEBC-2 અને તે પ્રમાણે અનુક્રમાંન્કો આપવાના રહે છે તે પરિપત્રનો અમલ થયો નથી.
ભરૂચ તાલુકાના ૯૨ ગામો પૈકી કુલ ગામોનાં ૧૦ ટકા અને જે ગામમાં સદર વર્ગની વસ્તી ૫ ટકા કરતા વધુ હોય તે શુકલતીર્થ ગામને લાગુ પડે છે. જે બાબતે અમારા સામાજિક શૈક્ષણિક પછાત (SEBC) વર્ગન ઉમેદવારી કરવામાંથી વંચિત રાખવામાં આવેલ છે જેથી પુનઃ આ બાબતે વિચારણા કરવા અને સરપંચની મા સંચયથી સામાજિક શૈક્ષણિક પછાત (SEBC) બેઠક ફળવાયેલ ન હોય જાહેરનામામાં ફેરફાર કરી ફાળવણીકરી ન્યાય આપવા વિનંતી કરવામાં આવી છે.

