The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચ વિપક્ષની મુહિમ રંગ લાવી: ફાટા તળાવ,ઢાલ થી મોહમ્મદપુરા વચ્ચે નો રસ્તો બનતા ખુશહાલી

ભરૂચના શ્રવણ ચોકડીના ઉપર બની રહેલ ફ્લાય ઓવરના કારણે ટ્રાફિક સમસ્યામાં એકા એક વધારો થવા પામ્યો હતો.જેને પગલે વાહન ચાલકો ને ભરૂચ શહેર નો મોહમ્મદપુરા રોડ નું ઉપયોગ કરવાની ફરજ પડતી હતી.આ માર્ગ સાંકડો હોવાથી વાહન ચાલકો આવાજાહી માટે ભારે ટ્રાફિક નો સામનો કરી રહ્યા હતા.બીજી તરફ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હતા.આ સમસ્યાને ધ્યાને લઇ નગરપાલિકા વિપક્ષ દ્વારા ભરૂચ ધારાસભ્ય સહીત નગરપાલિકાના સત્તાધીશો ને માર્ગ પહોળો કરવા માટે અસરકારક રજૂઆત કરી હતી.

ટ્રાફિક સમસ્યાની ગંભીરતા ને ધ્યાને લઇ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ,કારોબારી અધ્યક્ષ સહિત ની નગરપાલિકા ની ટીમે વિપક્ષ નેતા સમશાદ સૈયદ તેમજ સભ્યો સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા,ઈબ્રાહીમ કલકલના ઓને સાથે રાખી ટ્રાફિકવાળા માર્ગનું નિરીક્ષણ કર્યું હતુ.અને સદર માર્ગ ને પહોળો કરવા મંજૂરી આપી હતી.આ સાથે માર્ગ પર રહેલ દબાણ સહીત નડતર રૂપ વીજ પોલને હટાવવા આદેશ કર્યો હતો.

નગરપાલિકા ની હકારાત્મક ભૂમિકા ને પગલે ગત રોજ મોડી રાત સુધી રોડની કામગીરી કરાતા વાહન ચાલકોમાં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.આ માર્ગ પર થી ટ્રાફિક સમસ્યા નું નિરાકરણ થતા વિપક્ષે ભરૂચ ના ધારાસભ્ય અને નગરપાલિકા તંત્ર નો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!