The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News પર્યાવરણ દિવસે જ ભરૂચમાં વૃક્ષોનું નિકંદન..!

પર્યાવરણ દિવસે જ ભરૂચમાં વૃક્ષોનું નિકંદન..!

0
પર્યાવરણ દિવસે જ ભરૂચમાં વૃક્ષોનું નિકંદન..!

ભરૂચ શહેરના રચનાનગરના મક્તમપુરથી ધર્મનગરને જોડતા મુખ્ય માર્ગ પર કૃષિ યુનિવર્સિટી દ્વારા 15થી વધુ વૃક્ષનું નિકંદન કરાતાં પર્યાવરણ પ્રેમીઓમાં નિરાશા જોવા મળી હતી.

આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ભરૂચ શહેરમાં પણ કૃષિ યુનિવર્સિટી કૃષી વિષયમાં આવનાર યુવાધનને કૃષી અને પર્યાવરણનું શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. તેવામાં વિશ્વ પર્યાવરણ દિવસના રોજ આ જ કૃષી યુનિવર્સિટી દ્વારા કોઇપણ જાતની મંજૂરી વિના વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું છે. રચનાનગરના મક્તમપુરથી ધર્મનગરને જોડતા મુખ્ય માર્ગ પર દિવાલ બનાવવાના હેતુથી વૃક્ષનું નિકંદન કરવામાં હતું, ત્યારે સ્થાનીકો દ્વારા ઉછેરવામાં આવેલ વૃક્ષનું જ નિકંદન કરાતા વિરોધ ઉઠ્યો હતો. બનાવના પગલે પોલીસે સ્થળ પર આવી સ્થાનિકોની રજૂઆતના પગલે કામગીરી અટકાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!