The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચ નગરપાલિકા દ્વારા૧૫ જુન ૨૦૨૪ સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરાયું.

ભરૂચ નગરપાલિકા દ્વારા૧૫ જુન ૨૦૨૪ સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરાયું.

0
ભરૂચ નગરપાલિકા દ્વારા૧૫ જુન ૨૦૨૪ સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરાયું.

ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આજથી પંદર દિવસ સુધી ખાસ સ્વચ્છતા ઝુંબેશ બાબતે તમામ શહેરોમાં નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત “સ્વચ્છતા પખવાડા”નું આયોજન કરેલ છે.

તે અંતર્ગત શહેરના ધાર્મિક સ્થળો,મ્યુઝિયમ,પ્રવાસન સ્થળ,એન્ટ્રી પોઈન્ટ,ઓવરબ્રીજ,ફલાયઓવર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, માર્કેટ વિસ્તાર,મોલ, પ્રતિમા,બાગબગીચા, સરકારી રેહણાંક વિસ્તાર,નદી નાળા તળાવ,હોસ્પિટલો અને સરકારી કચેરીઓની ખાસ સાફ સફાઈ કરવા માટેનું તા.૦૧ જુન ૨૦૨૪ થી ૧૫ જુન ૨૦૨૪ સુધીનું “સ્વચ્છતા પખવાડિયા”નું આયોજન કરાયું છે.જેના ભાગરૂપે તા.૦૧/૦૬/૨૦૨૪ના રોજ વોર્ડના સેનેટરી ઈન્સ્પેકટર, સફાઈમિત્રો, સ્થાનિક રહીશો તથા આગેવાનો અને અન્ય નાગરિકોને જોડી વોર્ડ નં.૦૧ થી ૧૧ના જુદા જુદા ધાર્મિક સ્થળો, મ્યુઝિયમ અને પ્રવાસન સ્થળો પર સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી.જેમાં ભીનો કચરો ૦.૧૫મે.ટન અને સૂકો કચરો ૧.૧ મે.ટન જેટલો એકત્રીત કરાયો  હતો અને ત્યારબાદ તેનો યોગ્ય નિકાલ પણ કરવામાં આવ્યો હતો.

અ કાર્યક્રમમાં “નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડા” ના પ્રાદેશિક કચેરીએથી નિમણુંક થયેલા નોડલ અધિકારી કેતન એમ. વાનાણીએ વિશેષ ઉપસ્થીત રહી સમગ્ર સફાઇ અભિયાનનું નીરીક્ષણ કયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!