The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની ત્રીજી પુણ્યતિથિએ યોજાઈ પ્રાર્થના સભા

કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની ત્રીજી પુણ્યતિથિએ યોજાઈ પ્રાર્થના સભા

0
કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની ત્રીજી પુણ્યતિથિએ યોજાઈ પ્રાર્થના સભા

ભરૂચ જિલ્લા ના પનોતા પુત્ર સ્વર્ગીય અહેમદભાઈ પટેલ જિલ્લા ના વિકાસ અને છેવાડા ના માનવી સુધી સેવા ની સુવાસ ફેલાવી છે. તેમની ત્રીજી પુણ્યતિથિ નિમિતે તેના માદરે વતન પીરામણ ગામના કબ્રસ્તાન ખાતે તેમની કબર ઉપર પુષ્પાંજલિ અર્પી દુવા ગુજારાઇ હતી.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભરૂચના પનોતા પુત્ર મર્હુમ અહેમદભાઈ પટેલની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે તેઓના વતન પીરામણ ગામ ખાતે એક પ્રાર્થના સભા યોજાઈ હતી,જેમાં દિવંગતની યાદોને વાગોળી તેમની શાંતી અર્થે પ્રાર્થના કરાઇ હતી. દિવંગત એહમદ પટેલના સેવા કાર્યો અને સ્મરણોને યાદ કરી ઉપસ્થીત સૌ કોઇ ભાવુક થઈ ઉઠ્યા હતા.

આ પ્રાર્થના સભામાં કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદ, અર્જુન મોઢવાડીયા,તૃષાર ચૌધરી, વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ આગેવાનોએ મર્હુમ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન પાઠવી તેઓની કબર ઉપર ફૂલ ની ચાદર અર્પણ કરી હતી.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા, અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલ, પુત્રી મુમતાઝ પટેલ, પ્રવક્તા નાઝુભાઇ ફડવાલા, સહિત કોંગ્રેસના આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!