છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ના હમીરપુર ખાતે ૩૦ મું આદિવાસી એકતા મહા સંમેલન યોજવાનું હોય દેડીયાપાડા નાં ધારાસભ્ય ચૈતર વસાવા એ રૂબરૂ મુલાકાત લીધી.
જેમાં આદમી પાર્ટીના દેડિયાપાડા નાં ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હમીરપુર ખાતે જાન્યુઆરી મહિના ની ૧૩,૧૪,૧૫, તારીખ નાં રોજ યોજાનારા આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલનનાં સ્થળ ની મુલાકાત લઈ નિરીક્ષણ કરી જરૂરી સુચનો આપ્યા હતા. તેમની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રોફેસર અર્જુન રાઠવા તેમજ આપના રાધિકા રાઠવા તેમજ મોટી સંખ્યા માં આદિવાસી સમાજ નાં આગેવાનો તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
- રિપોર્ટર: વિમલ પંચાલ,ન્યુઝલાઇન,નસવાડી છોટાઉદેપુર