The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

દેડીયાપાડા મોવી વચ્ચે તૂટેલું નાળુ : રસ્તો બંધ રહેતાં વેપારી આલમમાં નારાજગી

ચોમાસામાં ભારે વરસાદના કારણે મુવી દેડીયાપાડા વચ્ચેનું એક નાનકડા નાળાનું ધોવાણ થયું હતું જેના કારણે તાત્કાલિક અસરથી ભારે વાહનો બંધ કરી દેવા મા આવ્યા હતા અને છતાં પણ સ્ટેટ હાઇવે નાં સત્તાવાળા ઓ નું પેટનું પાણી નથી હાલતું હજુ પણ આ રસ્તો મોટાં વાહનો માટે બંધ હાલત માં છે. જેના કારણે દેડીયાપાડા સાગબારા સેલંબા અને મહારાષ્ટ્ર નાં મોટાં વાહનો ને 40 કિમી નેત્રંગ થી ફરીને જવું પડે છે.

જેથી માત્ર જિલ્લામાંથી જ આવતો કોઈ પણ જથ્થો દેડીયાપાડા સાગબારા ખૂબ જ મોંઘા ભાવે મળે છે કારણ કે 40 કી.મી માં ફેરાવો એમાં ખૂબ જ ડીઝલ સમય નો વ્યય થાય છે અને જીલ્લા નું અંતર વધી જાય છે છતાં પણ સ્તરે હાઇવે નાં પીડબ્લ્યુડીના સત્તાવાળાઓ દ્વારા આ રોડ ચાલુ થાય તે વખતે કોઈ ધ્યાન ન આપવામાં આવતા વેપારી આલમ માં રોષની લાગણી ફેલાય છે અને આ જ રસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પણ મુખ્ય રસ્તા હોવાથી તાત્કાલિક ધોરણે આ નાળાનું રીપેર કરીને આ રોડ ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે આ બાબતે પી ડબ્લ્યુ ડી ના સત્તાવાળા ઓ દ્વારા જીલ્લા સમાહર્તા ને પણ ગેરમાર્ગે દોરી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેથી આ જાહેરનામું પણ તાત્કાલિક બંધ કરાવી તાત્કાલિક ધોરણે આ રોડનો નાડો નું કામ કરાવવામાં આવવું જોઈએ તેવી માંગ પ્રબળ બની છે.

અત્રે પણ ઉલ્લેખનીય છે આ રોડ પરથી માત્ર પેસેન્જર વાહનો અને ગુજરાત સરકારની પેસેન્જર બસ જ જાય છે તે સિવાય રાત્રિના સમયે રાત્રિના અંધકારનો લાભ લઈને મોટા વાહનો પણ આ રોડ પરથી પસાર થાય છે જેમાં કેટલાક જવાનો રોકડી કરીને પણ મોટા વાહનોને રાત્રે કરાવે છે આમ કેટલાક જાણ ભેદો આ રોડ નો લાભ લે છે અને મોટાભાગના લોકો વંચિત રહે છે જેથી આ ફરિયાદ ઊભી થવા પામી છે

સામાન્ય રીતે સ્ટેટ હાઇવીને પંદર દિવસથી એક મહિના સુધી જ માત્ર બંધ કરી શકાય છે અને કલેક્ટર જેવા સત્તાધિકારીને પણ જાહેરનામું પ્રગટ કરી એક માસ સુધીનો જ કોઈપણ સ્ટેટ હાઇવે નો માર્ગ બંધ કરી શકાય છે કે જેથી આ છેલ્લા છ માસ ઉપરથી આ સ્ટેટ હાઇવે બંધ છે જેના કારણે ભારદારી વાહનો ને બમણો ખર્ચ સહન કરવાનો વારો આવે છે. અને સમયનો વ્યય થાય છે જેથી મોંઘવારીમાં પણ વધારો થાય છે.

  • રિપોર્ટર; સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!