
તા.07/06/2022 ના રોજ લઘુ ઉદ્યોગ ભારતી-દહેજ ઈકાઈ તરફ થી દહેજ માં પડતા ડીજીવીસીએલ લક્ષી પ્રશ્નોની સી.એમ. સહિતના મંત્રીઓને રજૂઆત કરાતા તેમણે તત્કાલ નીકાલ કરવા સુચનો આપ્યા હતા.
દહેજ માં અનિયમિત વીજપૂરવઠા, સ્ટાફનો અભાવ જેવા પ્રશ્નો બાબતે લઘુ ઉદ્યોગ ભારતી- દહેજ ઇકાઇ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ને લઘુ ઉધૌગ ભારતી – દહેજ ના સભ્યો એ રજૂઆત કરી હતી.જેમાં મંત્રી કનુભાઈ દેસાઈ એ તાત્કાલિક ધોરણે ફોન કરી કાર્ય નો તાત્કાલિક નિકાલ કરવા નું આશ્વાસન આપ્યું હતું.