- આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ થયેલ યાત્રાનો ૧૭ માં દિવસે ભરૂચ જીલ્લામાં પ્રવેશ થતા ઠેર ઠેર સ્વાગત કરાયું.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટની બાઈક યાત્રા આજે તા.૨૨ મીએ ૧૭ માં દિવસે ભરૂચ જીલ્લામાં પ્રવેશી હતી.જે કેવડીયા રાજપીપળા થઈને ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકામાં યાત્રાએ પ્રવેશ કરતા તવડી,ઉમલ્લા,રાજપારડી અને ઝઘડીયા સહિત તાલુકામાં ઠેર – ઠેર પ્રદેશ યુવા પ્રમુખની આગેવાની હેઠળ નીકળેલ આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.તાલુકાના વિવિધ અગ્રણીઓ,હોદ્દેદારો તેમજ કાર્યકરો દ્વારા પ્રદેશ યુવા પ્રમુખને આવકાર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
આઝાદીના ૭૫ વર્ષ પુરા થયાની ઉજવણી અંતર્ગત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૬ ઠ્ઠી એપ્રિલના રોજ કર્ણાવતીથી નીકળેલ આ યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંદેશ લોકો સુધી પહોંચાડશે.વિવિધ જીલ્લાઓ માંથી પસાર થઈને પ્રદેશ ભાજપા યુવા પ્રમુખની આ યાત્રાનું તા.૨૫ મી એપ્રિલના રોજ સુરત મહાનગર ખાતે સમાપન થશે.આઝાદી મેળવવા ભવ્ય બલિદાનો આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓના ઘરના આંગણાંની માટી લઈને નીકળેલ આ યાત્રા આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીને દેશને આઝાદી અપાવનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓના ભવ્ય બલિદાનોનો સંદેશ જનતા સુધી પહોંચાડશે. આજરોજ ઝઘડીયા તાલુકામાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.