જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે ભરૂચ જિલ્લા કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. 14મી એપ્રિલના રોજ ધારાસભ્યોને આવેદન પત્ર પાઠવ્યા બાદ રવિવારના રોજ ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને વિવિધ મંડળો દ્વારા રેલી યોજવામાં આવી હતી. જે રેલી શાલીમાર, જિલ્લા પંચાયત, પાંચબત્તી સેવાશ્રમ થઈ શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. જ્યાં રેલી ધરણા પ્રદર્શનમાં પલટાઈ હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.
ભરૂચ જિલ્લા કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે રેલી યોજી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વિવિધ વિસ્તારોમાં રેલી ફરી શક્તિનાથ ખાતે રેલી ધરણા પ્રદર્શનમાં ફેરવાઈ હતી.