
મહાસુદ સાતમને તારીખ 4 થી ફેબ્રુઆરીએ પાવન સલીલા માં નર્મદાજીના જન્મોત્સવ ની ભરૂચ શહેર અને જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેરના ઉપસ્થિત હોદેદારો તેમજ સભ્યોએ શ્રી નર્મદાષ્ટકમ ના ઉચ્ચારણ સાથે માં નર્મદાજી ની પ્રતિમાને ફુલહાર કરી અને પુષ્પો અર્પણ કર્યા હતા.
આ પ્રંસગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના સ્થાપક રજનીકાંત રાવલ, ચેરમેન શૈલેષભાઇ દવે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ સહિત સભ્યો સાથે
નર્મદા ચેનલના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કર વિશેષ ઉપપસ્થિત રહ્યા હતા.