ભરૂચના એક રામભક્ત નરેન્દ્ર કે સોનાર દ્વારા પોસ્ટકાર્ડ પર દેવનાગરી કેલિગ્રાફી લેખન શૈલીમાં રામ રક્ષા સ્તોત્રમના કુલ ૩૮ શ્લોકને સંસ્કૃત ભાષામાં આલેખન કર્યું  છે અને એ આપણી જૂની મેનુસ્ક્રિપ્ટની પદ્ધતિને અનુરૂપ અભિવ્યક્ત કરે છે. આ પોસ્ટકાર્ડને તેઓએ ભગવાન શ્રી રામને સંબોધીને લખ્યા છે જે અયોધ્યા નગરીના પિનકોડ સાથે પોસ્ટ કરવામાં આવ્યા છે. આ પોસ્ટકાર્ડમાં મોકલનારમાં સમસ્ત ભરૂચના રામભક્તગણનો ઉલ્લેખ કરી આખા ભરૂચ વતી ભગવાન શ્રી રામને પત્ર રામ રક્ષા સ્તોત્રમના સ્વરૂપમાં પત્ર લખી એ પ્રાર્થના કરી છે કે ભગવાન રામ આ સ્તોત્રમાં વર્ણવેલ રામ રક્ષા સ્તોત્રમના ગૂઢાર્થ પ્રમાણે સમસ્ત ભારતવર્ષની રક્ષા કરે અને ફરીથી રામરાજ્યનો અનુભવ આખું ભારતવર્ષ કરે.

રામ રક્ષા સ્તોત્રમના પ્રથમ જ શ્લોકમાં જ જણાવવામાં આવ્યું છે કે “ ભગવાન રઘુનાથજીનું જીવનચરિત્ર સો કરોડ જેટલા અર્થમાં અભિવ્યક્ત કરવામાં આવ્યું છે. એના દરેકે દરેક ઉચ્ચારણ મનુષ્યોના પાપોનો નાશ કરે છે.સમસ્ત ભરૂચના રામભકતો વતી ભગવાન શ્રી રામને પોસ્ટકાર્ડ અને અંતરદેશીય પત્ર લખી ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી છે કે સમસ્ત ભારતવર્ષ અને વિશ્વમાં સમભાવ પ્રસરે, નાગરિકો દેશની ઉન્નતિમાં પોતાનું વધુને વધુ યોગદાન આપી ભારતવર્ષને આધ્યાત્મિક સમૃદ્ધિ, આર્થિક સમૃદ્ધિ અને વૈશ્વિક સમૃદ્ધિ તરફ લઈ જવામાં સતત મહેનત કરે.

લોકમાનસમાં ઘૂંસપેઠ કરી ચૂકેલી કાવાદાવાવાળી મંથરાવૃત્તિ દૂર થાય અને પરસ્પર મતભેદ દૂર થાય , ભાઈચારો કેળવાય, સૌ કોઈમાં દરેક જીવ પ્રત્યે કરુણાભાવ જન્મે અને સૌનું જીવન સરળ અને સૌમ્યતા તરફ ગતિ કરે. કોણે શું કર્યું અને કોણ શું કરી ગયું એના નિરર્થક દ્વંદમાં ન પડી વર્તમાનને શાંતિપૂર્વક માણીએ અને ભવિષ્યને ઉજ્જવળ બનાવામાં આપણી શક્તિને કામે લગાડીએ એવી પ્રાર્થના કરવામાં આવી છે. રામ રક્ષા સ્તોત્રમના લેખન થકી એ પણ પ્રાર્થના કરવામાં આવી છે કે ભગવાન રામ આપણાં ભારતવર્ષનું આસપાસની બદીઓથી, કુબુદ્ધિથી, કૂટનીતિથી, દ્વેષભાવથી, અરાજકતાથી રક્ષણ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here