The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

જિલ્લા ભાજપ પ્રમુખની નોટીસનો જવાબ આપતા આમોદ પાલિકાના બળવાખોર ભાજ્પી સદસ્યો

આમોદ પાલિકામાં તા.૩જી માર્ચના રોજ પ્રમુખ ઉપપ્રમુખ વિરૂદ્ધ પસાર થયેલી અવિશ્વાસની દરખાસ્ત બાબતે આમોદ પાલિકાના અપક્ષના ૧૦ સદસ્યો તેમજ ભાજપના સાત સદસ્યોએ પણ મત આપતાં ભાજપમાં સન્નાટો વ્યાપી ગયો હતો.તેમજ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખે આપેલા વ્હીપનો અનાદર કરીને ભાજપના સાત સદસ્યોએ અવિશ્વાસની તરફેણમાં મતદાન કર્યું હતું.

ત્યારબાદ બે મહિલા સદસ્યોએ પોતે ભૂલથી અને અજ્ઞાનતામાં મતદાન કર્યું હોવાનું નોટરી સમક્ષ સોગંદનામું કર્યું હોવાથી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ સાત પૈકી પાંચ સદસ્યો નામે કમલેશભાઈ સોલંકી,રમેશભાઈ વાઘેલા,દક્ષાબેન પરમાર,કૈલાસબેન વસાવા રણછોડભાઈ રાઠોડને તા.૧૭ માર્ચના રોજ કારણ દર્શક નોટીસ મોકલી દિન ૩ માં ખુલાસો આપવા જણાવ્યું હતું.તેમજ જો દિન ૩ માં ખુલાસો નહીં આપે પક્ષાંતર ધારા મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.જે બાબતે આજે આમોદના પાંચ પૈકી ચાર બળવાખોર સદસ્યોએ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખની નોટીસનો ખુલાઓ આપ્યો હતો.જેમાં પોતાના વોર્ડમાં ચૂંટાયેલા હોવા છતાં તેમના વિસ્તારના પ્રાથમિક જરૂરિયાતના કામો જેવા કે ગટર સફાઈ,લાઈટ,પાણી,રોડ રસ્તા વગેરે કામો ના થતાં લોકોની અનેક ફરિયાદો મળતી હતી અને પોતે વોર્ડમાં ચૂંટાયેલા હોવાં છતાં પ્રજામાં નીચું જોવાનું થતું હતું.

કારોબારી તેમજ સામાન્ય સભામાં ઠરાવો કરવા છતાં તેની અમલવારી થતી નહોતી.જે બાબતે પ્રમુખ ઉપપ્રમુખની સક્ષમતા દેખાતી નહોતી.અને દિવસે દિવસે લોકોમાં ભાજપના શાસનથી નારાજગી વધતી જતી હતી.અનેક વખત પ્રમુખ ઉપપ્રમુખ બદલવા માટે જિલ્લા મોવડી મંડળને રજુઆત કરવામાં આવી હતી છતાં અમારી રજુઆત કોઈ ધ્યાને નહીં લેવાતાં ૩ માર્ચના રોજ પ્રજાના હિતમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલી અવિશ્વાસનો મુદ્દો સાચો જણાતાં પ્રજાના હિતમાં ભાજપના શાસનમાં વિશ્વાસ રાખીને નવા પ્રમુખ વિકાસ તરફ લઈ જાય તે હેતુથી પ્રમુખ ઉપપ્રમુખ વિરુધ્ધ મતદાન કર્યું હતું.આ બાબતે આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૬ ના સદસ્ય કમલેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપ પ્રત્યે અમને કોઈ દ્વેષ ભાવ નથી પરંતુ લોકોની પ્રાથમિક જરૂરિયાત અમારું કર્તવ્ય છે.હું ભાજપમાં છેલ્લા ૨૨ વર્ષથી કામ કરૂં છું.અને મહામંત્રી તરીકે પણ ફરજ બજાવી છે.નગરજનોના સામાન્ય પ્રાથમિક જરૂરિયાતના કામો ભાજપ શાસનમાં થતાં નથી તેમજ આવેલી ગ્રાન્ટો પણ પાછી જતી હતી. જેથી લોકોનો ભાજપ તરફથી અવિશ્વાસ વધતો જતો હતો.જેને કારણે છેલ્લા આઠ માસથી પ્રમુખ ઉપપ્રમુખ બદલવા માટે માંગ કરી હતી.ત્યારે વિપક્ષ દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ વિરૂદ્ધ લાવવામાં આવેલો અવિશ્વાસનો મુદ્દો સાચો જણાતાં અમે પ્રજાના હિતમાં ભાજપના શાસનમાં વિશ્વાસ રાખીને પ્રમુખ ઉપપ્રમુખ બદલવા માટેની તરફેણમાં મતદાન કર્યું હતું.જે બાબતે અમને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખની કારણ દર્શક નોટીસ મળતાં તેનો જવાબ આપવામાં આવ્યો છે.

* વિનોદ પરમાર,ન્યુઝલાઇન, આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!