
દેડીયાપાડાના નિવાલ્દા ખાતે હાઇવે પર આવેલ આશીર્વાદ હોટલમાં કેટલાક ઈસમોએ હોટલ માલિકે દારૂ પીવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ બે જણા સાથે ઝઘડો કરીને માર મારી બિલ ચૂકવ્યા વિના જ ભાગી જવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સલીમભાઈ મહમદજી ખત્રીએ આપેલ પોલીસ ફરિયાદ મુજબ આરોપી (1) હેમરાજસિંહ મહેન્દ્રસિંહ મહારાઉલજી રહે. અંદાળા,તા.અંકલેશ્વર, જી.ભરૂચ તથા (૨) અજયભાઈ જીવણભાઈ સોલંકી રહે.પુષ્પકુંજ સોસાયટી,જે.પી કોલેજ સામે ઓલ્ડ નેશનલ હાઇવે નં.૮ ભરૂચનાઓ વિરુદ્ધ દેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
તેઓનાં જણાવ્યા મુજબ બંન્ને હોટલમાં જમવા બેઠા હતા અને જમ્યા બાદ પોતાની ગાડીમાંથી દારૂ લાવી પીતા હતા ત્યારે ફરિયાદીએ દારૂ પીવાની મના કરતાં સમગ્ર મામલો ગરમાયો હતો. આરોપીઓ ઉશ્કેરાઈ ને હોટલ બંધ કરાવી દઈશ તેમ ધાક ધમકી આપી અને હોટલના કમ્પાઉન્ડમાં મૂકેલી હોટલ માલિકની ગાડીને નુકસાન કરી ભાગી છૂટ્યા હતા.
આ સમગ્ર ઘટના હોટલમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થતાં દેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા (નર્મદા)