The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચમાં 45 લાખની બસની ચોરી કરીને ભાગતા ત્રણ પૈકી એક ઝડપાયો

ભરૂચમાં 45 લાખની બસની ચોરી કરીને ભાગતા ત્રણ પૈકી એક ઝડપાયો

0
ભરૂચમાં 45 લાખની બસની ચોરી કરીને ભાગતા ત્રણ પૈકી એક ઝડપાયો

ભરૂચ શહેરના કોલેજ રોડ ઉપર ઉદ્યોગનગરના કોમન પ્લોટ પાસે પાર્ક કરેલ 45 લાખની લક્ઝરી બસની ચોરી કરી ભાગવા જતા બસને અકસ્માત નડયો હતો. જેમાં સી ડીવીઝન પોલીસે ત્રણ આરોપીઓ પૈકીના એકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા જયરાજ હરીશચંદ્ર કરાડે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગતરોજ પોતાના ઘરે હતા તે દરમિયાન સી ડીવીઝન પોલીસ ખાતેથી ફોન આવ્યો હતો અને તેઓની લક્ઝરી બસ નંબર-GJ 16 AV 7354ની ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું. સાથે બસનું મકતમપુર ડી.ડી.ઓ. બંગ્લોઝ સામે યુ ટર્નના કટ પાસે ડીવાઈડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયું હોવાનું કહેતા જ જયરાજ હરીશચંદ્ર કરાડે તાત્કાલિક તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા.

જેઓને જાણવા મળ્યું હતું કે તેઓની બસનો ચાલક ભરૂચ શહેરના કોલેજ રોડ ઉપર ઉદ્યોગ નગરના કોમન પ્લોટ પાસે લક્ઝરી બસ પાર્ક કરીને પોતાના ઘરે ગયો હતો. દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની બસની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાનું માલુમ પડ્યું હતું.સી ડીવીઝન પોલીસે બસની ચોરી કરી ફરાર થઇ રહેલ સિંધોત ગામના મહાદેવ મંદિર ફળિયામાં રહેતો રાહુલ ગોપાલ વસાવાને ઝડપી પાડયો હતો પોલીસે ઝડપાયેલ ઇસમની પુછપરછ કરતા બસની ઉઠાંતરી કરી ચિરાગ ગૌસ્વામી અને નાઝીમ પટેલ શેખ સાથે તે ભાગી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયા બાદ ત્રણેવ ઈસમો ભાગી રહ્યા હતા. દરમિયાન પોલીસે તેને પકડી પાડયો હોવાનું જણાવ્યું હતું.સી ડીવીઝન પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!