ભરૂચ પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા ગંભીર પકારના ગુનાનો શોધી કાઢવા આપેલ સુચના અનુસંઘાને ગઈ તા.0૩/૦૮/૨૦૨૨ના રોજ સદાકત એહમદ ઉર્ફે મુસા સઈદએહમદ વાડીવાલા ઉપર કેટલાક ઇસમો દ્વારા ભાગ્યોદય સોસાયટી પાસે ફાયરીંગ કરવાના બનાવમાં એક આરોપીને ઝડપીપાડી અન્ય એકની શોધ આરંભી છે.
આ બનાવમાં ભોગ બનનાર સદાકત એહમદ ઉર્ફે મુસા સઈદએહમદ વાડીવાલાને ઘાયલ અવસ્થામાં સારવાર અર્થે સરદાર પટેલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.જ્યાં સારવાર દરમિયાન તા.૯મીના રોજ તેનું કરૂણ મોત નીપજ્યું હતું.
જે ગુનાની ગંભીરતા સમજી પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી જે દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન તથા સીસીટીવી સર્વલન્સના આધારે માહીતી મળેલ કે, આ ગુનાનો મુળ સુત્રધાર સફો તથા તેના મિત્ર અઝહર અને અન્ય સાગરીતો દ્વારા આયોજન કરી ગુનાને અંજામ આપેલ અને આ ગુનામાં સફીના મિત્ર અઝહરની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી અને આ ગુનામાં શફી ઉર્ફે કાનાની ગુલામઅલી શેખ રહે, ભાગ્યોદય સોસાયટી, સ્ટેશન રોડ, અકલેશ્વર અને અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથધરી છે.