ગત તારીખ ૨૨/૦૭/૨૦૨૨ ના રોજ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સારંગપુર ગામની સોમેશ્વર સોસાયટીના મુખ્ય માર્ગ પાસે મીરાનગરની પાછળ મિથુન મહેશભાઈ મંડલ ઉ.વ ૨૮ રહે- મારૂતિધામ-૨ સારંગપુર તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ મુળ રહેવાસી રબ્બીડી થાના અમદંડા તાલુકો સનોલાજી જીલ્લો ભાગલપુરના લોહીલુહાણ હાલતમાં મળી આવેલ જેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવમાં આવેલ જ્યાં તેઓને મરણ ગયેલ જાહેર કરેલ જે બાબતે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો.
આ ગુનામાં પોલીસની પ્રાથિમક તપાસ દરમ્યાન ફાઈરીંગ કરી મોત નિપજાવેલ હોવાનુ જણાઈ આવતા ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ દ્વારા તાત્કાલિક ગુનો શોધી કાઢી આરોપી પકડવા સુચના અપાઇ હતી. જે અંગે નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર આર.એન.કરમટીયા દ્વારા તાત્કાલિક તપાસ સંભાળી જુદી-જુદી ટીમો બનાવી તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ હતી.
દરમ્યાન આ ગુનામાં છોટુકુમાર જીતેન્દ્ર મંડલની સંડોવણી જણાઈ આવતા તેમજ તે ટ્રેન મારફતે બિહાર તરફ જઈ રહેલ હોય તેવી માહિતી મળતા તાત્કાલિક અંક્લેશ્વર જી. આઈ. ડી.સી પોલીસ સ્ટાફની ટીમ રવાના કરવામાં આવી હતી. જેમાં રેલ્વે પોલીસની મદદથી આ આરોપીને જલગાંવ રેલ્વે સ્ટેશન ખાતે પકડવામાં આવ્યો હતો. જેની પુછ-પરછ દરમ્યાન તેણે જણાવેલ કે આ ગુનામાં વિશાલકુમાર અવધેશ મંડલ દ્વારા બિહાર ખાતેથી દેશી હાથ બનાવટનો તમંચો ખરીદી લાવી સોમેશ્વર સોસાયટીમાં જવાના રોડ પાસે ગઈ તા. ૨૧/ ૦૭/ ૨૦૨૨ની રાતે મિથુન મહેશભાઈ મંડલના માથાના ભાગે તમંચા વડે ફાયરિંગ કરી ગંભીર ઈજા પહોંચાડી તેને મોતને ઘાટ ઉતારાયો હતો.
જેથી પોલીસે બન્નેવ આરોપીઓને ગુનાના કામે અટક કરી ગુનામા વપરાયેલ દેશી હાથ બનાવટનો તમંચો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.