
જંબુસરના ટુંડજ ગામે સુરેશભાઈ ડાયાભાઈ વાઘેલાને અનુ.જાતિના નામે અપમાનજનક શબ્દો વાપરી આરોપીઓએ ગાળાગાળી કરી ધારીયા, ડાંગો જેવા મારક હથિયારોથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા રોહિત સમાજ દ્વારા યોગ્ય પગલાં લેવા બાબત જિલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.
સંત શિરોમણિ રૈદાસ એન્ડ યુગાવતાર ડૉ.આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ સંસ્થાના આગેવાનોએ આપેલ આવેદનમાં જણાવ્યું કે, રોહિત સમાજના સુરેશભાઈ ડાહયાભાઈ વાઘેલા અગાઉ ચૂંટણીમાં ઉભા રહેલ તેની રીસ રાખી તા.૨૪ /૬/૨૦૨૨ ના રોજ સુરેશભાઈ તળાવની પાસે બેઠેલા હતા તે વખતે તે ગામના મુન્નાભાઈ, સાદીક અદેસંગ સિંધા અજીતસિંગ, આશિક અજીતસંગ સિંધા, કેશરીસંગ ફતેસંગ સિંધાએ ઇકો ગાડીમાં આવી સુરેશભાઈ ડાહયાભાઈને ગાળાગાળી કરી ડાંગો વડે ઉપરાછાપરી સપાટા મારી તેમજ ધારીયા વડે સુરેશભાઈને પગમાં ઘા મારી કહેલ કે સાલાને મારો પંચાયતની ચુંટણીમાં આપણી સામે ઉભો રહેશે અને બહુ રસ લીધેલો તેથી જોઈ લઈશ અને જાતિવિષયક ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ બનાવમાં સુરેશભાઈ ડાહયાભાઈને બંને પગે ગંભીર ઈજાઓ થયેલી અને બંને હાથોમાં ઈજા પહોંચાડતા કાવી પોલીસ સ્ટેશને આ મંડળી કાયદો હાથમાં લઈ ગમે ત્યારે ઈજાઓ પહોંચાડી દલિત વર્ગના લોકોને રંજાડી રહેલ છે અને અનુ.જાતિ પ્રત્યે તિરસ્કાર ધરાવે છે તેથી આ તમામ આરોપીઓને અટક કરી રીમાન્ડ મેળવી સખતમાં સખત સજા થાય તેવી કાર્યવાહી કરવાની અમે માંગણી કરી હતી.
સાથે આ આરોપીઓ માથાભારે તેમજ વારંવાર ગુન્હો કરવાની ટેવવાળા છે . તેથી તેઓને ગામમાંથી તડીપાર કરવા અને અગાઉના ગુન્હામાં જામીન મેળવેલ હોય તો તેઓના જામીન રદ્દ કરી જેલમાં ધકેલવા તેમજ ભોગ બનેલ પરિવારને સરકારી ધારાધોરણ મુજબ વળતર ચુકવવા અને કુંજ ગામે ભોગ બનનારાઓને પોલીસ રક્ષણ આપવાની માંગણી કરી હતી.