The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ઝનોર એનટીપીસી ટાઉનશીપના બે મકાનોમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ

ભરૂચના ઝનોર એનટીપીસી ટાઉનશીપમાં રાત્રીના સમયે તસ્કરોએ બે મકાનોને નિશાન બનાવ્યાં હતાં. ઘરના દરવાજાનો અવાજ આવતાં પરિવાર જાગી જતાં પરિવારે સીઆઇએસએફને જાણ કરી હતી. ટુકડી આવતાં તસ્કરો ત્યાંથી રફૂચક્કર થઇ ગયાં હતાં. તપાસમાં નજીકમાં જ અન્ય એક બંધ મકાનમાં પણ તસ્કરો દરવાજો તોડ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જોકે, તેમને કાંઇ મળ્યું ન હતું. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચના ઝનોર રોડ પર આવેલી એનટીપીસી ટાઉનશીપમાં રાત્રીના સમયે તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. ટાઉનશીપમાં રહેતાં સિનિયર મેનેજર દશરથ પટેલ તેમના રૂમમાં સુઇ રહ્યાં હતાં. તે વેળાં રાત્રીના 3 કલાકના અરસામાં તેમના મકાનનો દરવાજો ખખડવાનો અવાજ આવતાં તે જાગી ગયાં હતાં. તેણે ચોરોને પડકારી સીઆઇએસએફને જાણ કરી હતી. જોકે, તેઓ ત્યાં પહોંચે તે પહેલાં જ તસ્કરો ત્યાંથી રફુચક્કર થઇ ગયાં હતાં.

સવારે તેમણે ટાઉનશીપમાં તપાસ કરતાં તેમની ગલીમાં જ રહેતાં અનુજકુમાર રામકુમારના બંધ મકાનમાં પણ તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું માલુમ પડ્યું હતું. તસ્કરોએ તેમના મકાનના દરવાજાનું તાળું તોડી આખુ ઘર ફંફોસી લીધું હતું. જોકે, તસ્કરોને કાંઇ ન મળતાં તેમને વીલા મોઢે પરત જવું પડ્યું હતું. બનાવ અંગે તેમણે નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!