The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

જંબુસરના નહાર ગામે પૂર્વ પ્રેમી સાથે ભાગીને લગ્ન કરતાં સસરાની યુવકને ધમકી

જંબુસરના નહાર ગામે રહેતાં એક યુવાનને ગામમાં જ રહેતી એક યુવતિ સાથે પ્રેમ સંબંધ હતો. જોકે, યુવતિના પરિવારે તેના અન્યત્ર લગ્ન કરાવી દીધાં હતાં. જોકે, યુવતિને તેના પતિ સાથે ન બનતાં તેણે છુટાછેડા લઇ લીધાં બાદ યુવાન સાથે પ્રેમ લગ્ન કરી લીધાં હતાં. દરમિયાનમાં બન્ને તેમના ગામમાં ધાર્મિક પ્રસંગમાં જતાં તેના સસરાએ તેની સાથે ઝડઘો કરી તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

નહાર ગામે રહેતાં સિદ્ધરાજસિંહ રણજીતસિંહ મોરીને તેના ગામમાં જ રહેતી એક યુવતિ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, યુવતિના પિતાએ તેના લગ્ન અન્ય ગામમાં કરાવી દીધાં હતાં. લગ્ન બાદ પણ યુવતિ સિદ્ધરાજસિંહને ફોન કરી તેને સાસરીમાં હેરાનગતિ હોવાનું જણાવતી હતી. દરમિયાનમાં યુવતિ પાદરાના એક દવાખાને ગયાં હતી. જ્યાંથી તે સિદ્ધરાજ સાથે જતી રહી હતી. બાદમાં યુવતિના છુટાછેડા થઇ જતાં તેમણે આમોદના ભાથિજી મંદિર ખાતે પ્રેમલગ્ન કરી લીધાં હતાં. અને તેની આમોદ નગરપાલિકામાં નોંધણી પણ કરી લીધી હતી.

લગ્ન બાદ તેઓ પિલુદરા ગામે રહેતાં હતાં. દરમિયાનમાં નહાર ગામે સિદ્ધરાજસિંહના ઘરે કથા રાખી હોઇ તેઓ બન્ને નહાર ગામે તેના ઘરે ગયાં હતાં. અરસામાં યુવતિના પિતાને જાણ થતાં તેમણે ત્યાં આવી બન્નેને તમે ગામમાં કોને પુછીને આવ્યાં, તમારા હાથ પગ ભાંગી નાંખીશ તેમ કહી ધમકી આપી હતી કે, તે નોકરીએ જતો હશે ત્યારે રસ્તામાં તેને મારી નાંખશે. જમાઇએ સસરા વિરૂદ્ધ કાવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!