The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

ભરૂચ પોલીસની સમજાવટથી સુરતના યુવકનો જીવ બચ્યો

ભરૂચ સી ડીવીઝનના સર્વેલન્સના હેડ કોન્સ્ટેબલ રાકેશજી તથા પોલીસ કોન્સ્ટેબલ પીન્ટુને પોલીસામથકે આવેલ વર્ધીની જાણ થતાં જ તેઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. આ સમયે એક યુવક બ્રીજના ડીવાઈડર બાજુ નર્મદા નદી તરફ મોં રાખીને બ્રીજની કીનારી ઉપરથી નર્મદા નદીમા કુદવાનો પ્રયાસ કરતો હતો. તે યુવકને યુક્તિ-પ્રયુક્તિથી નદીમાં નહિ કુદવા સમજાવી બહાર લઈ આવી બચાવી લીધો હતો.

આ 26 વર્ષીય યુવકે તેની હકીકત જણાવતા કહ્યું કે તે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં એક રહે છે. તેને છેલ્લા ત્રણ વર્ષથી એક યુવતી સાથે પ્રેમસંબંધ છે. પરંતુ યુવતીના માતા-પિતા લગ્નની ના પાડતા તેને લાગી આવ્યું હતું જેથી તે સુરતથી મોપેડ લઈને ભરૂચ નર્મદા નદીમાં આત્મહત્યા કરવા પહોંચ્યો હતો. જ્યારે તે નદીમાં કુદવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ ભરૂચ સી ડીવીઝન પોલીસે સ્થળ પર પહોંચી તેને સમજાવી અને તેનો જીવ બચાવી લીધો હતો. બાદમાં પોલીસે તેનું કાઉન્સીલિંગ કરી તેના પરિવારજનો સોંપ્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!