પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી નિવૃત્ત થનારા શિક્ષકોનો સન્માન કાર્યક્રમ તા.18/10/ 22 ને મંગળવારના રોજ સવારે  9:00 કલાકે બી.આર.સી ભવન દેડીયાપાડા ખાતે રાખવામાં આવ્યો હતો.

દેડીયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં દેડીયાપાડા તાલુકાના કુલ નવ જેટલા સેવા નિવૃત શિક્ષકોને શાલ ઓઢાડી, સન્માન પત્ર આપી તમામને સન્માન કરી વિદાય આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ તાલુકા શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

  • રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here