
દેડીયાપાડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કેબિનેટ મંત્રી અમન અરોરા ની ઉપસ્થિતિમાં પારસી ટેકરા થી રેલી કાઢી બિરસા મુંડા ચોક થઈ વેરાઈ માતાના મંદિરે પહોંચી હતી ત્યારબાદ ત્યાં પંજાબના કેબિનેટ મંત્રી અમન અરોરા દ્વારા જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં મોટી સંખ્યામાં જન મેઘની ઉમટી પડી હતી. જન સંવાદ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી દ્વારા કેજરીવાલ સરકાર ની શિક્ષણ, વીજળી, રોજગાર, તેમજ આરોગ્ય લક્ષી યોજનાઓની પ્રસંશા કરી હતી. અને આવનાર વિધાનસભા ની ચૂંટણી માં મોંઘવારી, શિક્ષા, રોજગાર તેમજ આરોગ્ય જેવા મુદ્દા આમ આદમી પાર્ટીની પ્રાથમિકતા રહેશે નું મંત્રીએ જણાવ્યું હતું.
આ સાથે કોંગ્રેસ અને બી.જે.પી. પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ આવનાર વિધાનસભા ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ ને કડી ટક્કર આપી ખૂબ સારું પ્રદર્શન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત જન મેદનીએ ચૈતરભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ નાં નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આ કાર્યક્રમમાં ડૉ.કિરણભાઈ વસાવા સહ સંગઠન મંત્રી એસ.સી. એસ.ટી.ગુજરાત પ્રદેશ Aap, ચૈતરભાઈ વસાવા Aap નેતા, નિરંજન વસાવા ઉપ પ્રમુખ ગુજરાત Aap, ધર્મેન્દ્ર ગોહિલ પ્રમુખ નર્મદા Aap, ડેડીયાપાડા તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઈ વસાવા, ડો.દયારામભાઈ વસાવા, વકીલ હરિસિંહ વસાવા સહિત ડેડીયાપાડા તથા સાગબારા તાલુકાના Aap પાર્ટીનાં આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,નર્મદા