ભરૂચ પોલીસ અધિક્ષક ભરૂચ ડો.લીના પાટીલના માર્ગદર્શન હઠેળ નજીકના દિવસોમાં દિવાળીનો તહેવાર આવનાર હોય જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર ફરી ગત રોજ તા.૧૨/૧૦/૨૦૨૨ ના રોજ ગંભીર પ્રકારના બનાવ બનતા અટકાવવા તથા પ્રજાની શાંતી અને સલામતી હેતુસર અંકલેશ્વર શહેર પો.સ્ટે.વિસ્તારના ગડખોલમાં આવેલ મહેન્દ્રનગર-૧, મહેન્દ્રનગર-૨, નિરવકુંજ સોસાયટી, પુષ્પવાટીકા, ચંડાલ ચોકડી વિસ્તાર, તથા અન્ય બીજી અલગ અલગ ૩૫ સોસાયટીઓમાં કોમ્બીંગનુ આયોજન કરવામાં આવેલ હતુ.

જેમાં એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફલો, ટ્રાફિક, ક્યુ.આર.ટી., અંકલેશ્વર શહેર પો.સ્ટે. અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે. અંકલેશ્વર રૂરલ, ઝઘડીયા પો.સ્ટે., હાંસોટ પો.સ્ટે. મળી કુલ ૧૦ ટીમો જેમા પોલીસ ઇન્સ્પેકટર-૦૯, પોલીસ સબ ઇન્સ્પેકટર-૧૧, તથા ૧૧૪ પોલીસ માણસો દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવેલ.

કોમ્બિંગ દરમ્યાન ૭૬ – વાહનો એમ.વી.એકટ ર૦૭ મુજબ જપ્ત કરવામાં આવ્યા.,૩૭ – મકાન ભાડુઆત વિરૂધ્ધ જાહેરનામા આઇ.પી.સી.૧૮૮ મુજબ કેસો કર્યા.,૨૬ – વ્યક્તિઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ કેસો કર્યા.,૦૧ – એમ.વી.એકટ ૧૮૫ મુજબ કેસો કર્યા.,૧૮૮ – ઇસમોના બી-રોલ ભરવામાં આવ્યા. તેમજ ૦૧ – જુગારાધારા મુજબ કેસો કરાયા હતા તેમજ આગામી દિવસોમાં પણ જેલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતેની કામગીરી કરવા ભરૂચ જોલ્લા પોલીસ કટીબધ્ધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here