The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચની GNFC કંપનીએ કામદારોનો પગાર વધારો કર્યો… માત્ર ચાર રૂપિયાનો!

ભરૂચની GNFC કંપનીએ કામદારોનો પગાર વધારો કર્યો… માત્ર ચાર રૂપિયાનો!

0
ભરૂચની GNFC કંપનીએ કામદારોનો પગાર વધારો કર્યો… માત્ર ચાર રૂપિયાનો!

વાગરા તાલુકાના રહિયાદ ગામ ખાતે આવેલી GNFC નો ટીડીઆઇ પ્લાન્ટ ટુમાં લગભગ 500થી 600 જેટલા કામદારો કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે. તેઓને હાલ રૂ351 રોજ ચૂકવવામાં આવે છે. આજથી 15 દિવસ પહેલા કંપનીના કામદારોને કહેવામાં આવ્યું હતું કે, તમને રૂપિયા 90નો વધારો કરવામાં આવશે. પરંતુ 4 રૂપિયાનો વધારો થઈને આવતા કંપનીના કામદારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારણ એટલું જ કે, જો રોજના ચાર રૂપિયાનો વધારો થાય તો એક કટીંગ ચાઈ પણ આવતી નથી. ત્યારે કંપની દ્વારા માત્ર ચાર રૂપિયાનો વધારો કરીને કામદારો સાથે મજાક કરી હોય તેવું લાગતા કંપનીના કામદારો છેલ્લા 2 દિવસથી કામ બંધ કરીને કંપનીના ગેટ બહાર હડતાળ ઉપર ઉતરી ગયા છે.

​​​​​​​કામદારો લગભગ રૂ.90 નહીં તો રૂ.50નો વધારો કરી આપે તેવી માંગણી કરી રહ્યા છે. કામદારોના કહેવા મુજબ કંપનીમાં જે કેમિકલ ઉત્પાદન થઈ રહ્યું છે. તે બહુ જ ખતરનાક છે અને પોતે જીવના જોખમે આટલા નજીવા રૂપીયા રોજ લઈને કામ કરી રહ્યા છે. ખરેખર તો 390થી લઈને 400 રૂપિયાનો રોજ હોવો જોઈએ. પરંતુ હજુ સુધી કંપની સત્તાવાળા કે કોન્ટ્રાક્ટરોએ કામદારોના પગારમાં વધારો કર્યો નથી અને વધારો પણ કર્યો તો માત્ર ચાર રૂપિયા જ ખરેખર આ કામદારો સાથે મજાક થવાનું કામદારોએ કહ્યું હતું. અને જો વહેલી તકે કામદારોનો પગાર વધારો નહીં કરવામાં આવે તો કામદારો આગળના દિવસોમાં ભારે વિરોધ કરશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!