
શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રી માં નવદુર્ગા ,અંબા,બહુચર ,કાલિકાના પૂજા અર્ચના નું મહા પર્વ આગામી દિવસોમાં શારદીય નવરાત્રી આવી રહી છે.ભરૂચ થી ૧૫ કિલો મીટરના અંતરે આવેલ ઓસારા ગામે આવેલ વિશ્વશાંતિ મહાકાળી માતાજી નું મંદિર નવરાત્રીના નવ દિવસ માતાજીના દર્શન માટે ભાવિક ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશેની જાહેરાત સંચાલકો દ્વારા કરવામાં આવી છે.
નવ દિવસ દરમિયાન મંદિરમાં દર્શનનો સમય સવારે ૭.૩૦ કલાક થી ૧૧.૦૦ કલાક અને સાંજે ૪.૦૦ કલાકથી ૭.૦૦ કલાક સુધી ખુલ્લું રાખવામાં આવશેનું પણ જણાવાયું છે.આ મંદિર ની એક વિશિષ્ટા એ છે કે આ મંદિર માત્ર અઠવાડિયામાં એકજ વાર મંગળવારના દિવસે જ ખુલ્લું રહે છે અને અહીંયા કોઈ પણ જગ્યાએ રૂપિયા પૈસા મુકવામાં આવતા નથી અહીંયા માત્ર તપને જ મહત્વ આપવામાં આવે છે.