The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચ પાંજરાપોળ ખાતે માલધારી સમાજના પશુઓના મોતનું વળતર ચૂકવવાની કરાઇ માંગ

ભરૂચ પાંજરાપોળ ખાતે માલધારી સમાજના પશુઓના મોતનું વળતર ચૂકવવાની કરાઇ માંગ

0
ભરૂચ પાંજરાપોળ ખાતે માલધારી સમાજના પશુઓના મોતનું વળતર ચૂકવવાની કરાઇ માંગ

તાજેતરમાં જ ભરૂચ નગરપાલિકા દ્વારા રસ્તે રડતા માલધારી સમાજના દુધાળા પશુઓ અને પ્રેગનંટ ગાયોને પકડી પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં કેટલી ગાય અને બચ્ચાના મોત થયા છે અને પાંજરાપોળમાં કેટલી ગાયોની અંદર લંમ્પી વાયરસ હોય જે માલધારી સમાજ નહીં ગાયોમાં સંક્રમણ ફેલાય તેવો ભય ઊભો થયો છે.

પાંજરાપોળ ખાતે માલધારી સમાજની ગાયોની દેખરેખ રખાતી ન હોવાના કારણે તેમજ માલધારી સમાજની કેટલી ગાયોના મોત થતા માલધારી સમાજને ભરૂચ નગરપાલિકા દ્વારા વળતર ચૂકવવામાં આવે અને જાહેર માર્ગો ઉપર રખડતી ગાયો તોફાને ચડતી નથી માત્ર આખલાઓ તોફાને ચડતા હોય છે.

પરંતુ માલધારી સમાજને હેરાનગતિ કરવા માટે દુધાળા પશુઓને પકડી પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવે છે. જેના કારણે પાંજરાપોળની ગાયોના લંમ્પી વાયરસ માલધારી સમાજના દુધાળા પશુઓમાં સંક્રમણ ફેલાવાના કારણે ગાયો મોતને ભેટી રહી છે જેના કારણે માલધારી સમાજની ગાયોના મોતનું વળતર ચૂકવવા માટેની ભરૂચ માલધારી સમાજે આવેદન પાઠવી માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!