The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

આમોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પદવીદાન સમારંભ યોજાયો

આમોદની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આજ રોજ પદવી દાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તાલીમાર્થીઓ તથા વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.આમોદની તાલીમ સંસ્થામાં વિવિધ તાલીમી ટ્રેડનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.પદવી દાન સમારંભમાં પધારેલા મહેમાનો ડી.કે.સ્વામી.આમોદ નગરપાલિકા કારોબારી ચેરમેન બીજલ ભરવાડ,ગેરીશન પોલીસેક્સ પ્રા.લી.ના મેનેજર કમલેશ પટેલ,કાંકરિયા ગામના સરપંચ મનીષાબેન ઠાકોર સહિતના મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ આવેલા મહેમાનોએ પ્રાસંગિક ઉદબોધન કરી તાલીમાર્થી વિધાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું.આમોદની આઈ.ટી.આઈ.માં ૩૪૧ તાલીમાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે.જેમાં સાત પ્રકારના ટ્રેડનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.જેમાંથી ૮૯ તાલીમાર્થીઓને મહેમાનોના હસ્તે કોપા,વેલ્ડર,ઇલેક્ટ્રિશિયન,ફીટર ના ટ્રેડ ધરાવનારને એન.સી.વી.ટી.(NCVT) પ્રમાણપત્ર તથા મેડલ આપવામાં આવ્યા હતાં.તાલીમી સંસ્થાના આચાર્ય કે.સી.કાછડીયાએ ઉપસ્થિત લોકોને સંસ્થામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ ટ્રેડ વિશે માહિતી આપી હતી.તેમજ રોજગારી અંગે માર્ગદર્શન આપ્યું હતું.રાષ્ટ્રગાન ગાયા બાદ કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

  • રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!