The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News વાલિયા ખાતે ૭૩મા તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરાઇ

વાલિયા ખાતે ૭૩મા તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરાઇ

0
વાલિયા ખાતે ૭૩મા તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરાઇ

સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ વિસ્તરણ રેંજ વાલિયા દ્વારા ગ્રીન ગુજરાત ક્વીન ગુજરાત અંતર્ગત વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટસ કોલેજ ખાતે ૭૩મા તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.  કોલેજના પટાંગણમાં આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સેવંતુ વસાવા, મામલતદાર એ.ડી.મિસ્ત્રી, નવચેતન એજ્યુકેશન સોસાયટીના સેક્રેટરી  કે.વી.સયાણીયા,  ટ્રસ્ટી અશ્વિનસિંહ વિહારીયા, વન વિભાગના આર.એફ.ઓ. મહિપાલસિંહ ગોહિલ, વન વિભાગનો સ્ટાફ તેમજ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય  શર્મિલાબેન પટેલ, નિમિષાબેન તેમજ કોલેજ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!