The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News પી.એમ મોદીના ૩ પ્રોજેક્ટો સામે ખેડૂતોએ ભરૂચ કલેક્ટર કચેરીએ કર્યું શક્તિ પ્રદર્શન

પી.એમ મોદીના ૩ પ્રોજેક્ટો સામે ખેડૂતોએ ભરૂચ કલેક્ટર કચેરીએ કર્યું શક્તિ પ્રદર્શન

0
પી.એમ મોદીના ૩ પ્રોજેક્ટો સામે ખેડૂતોએ ભરૂચ કલેક્ટર કચેરીએ કર્યું શક્તિ પ્રદર્શન

પી.એમ.મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટોમાં જમીન ગુમાવનાર ખેડૂતો આજે વળતરની રકમ અંગે નારાજગી સાથે મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ગ્રામજનો સાથે ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ એકત્રિત થયા હતા.

સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના મહત્વાકાંક્ષી યોજના જેવી કે બુલેટટ્રેન , ભાડભૂત બેરેજ અને એક્સપ્રેસ વે ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકા અંક્લેશ્વર , ભરૂચ અને આમોદમાંથી પસાર થાય છે. ખેડૂતોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ સરકારના દરેક યોજનાના અને વિકાસના વિરોધી નથી પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોના હિતમાં જમીન સંપાદન અધિનિયમ – ૨૦૧૩ લાગુ કરી ક્લમ ૨૬ (૨) પ્રમાણે બજાર કિંમત રીવાઈઝ કરવાની જોગાવઇ રાખી છે જેના આધારે દક્ષિણ ગુજરાતના ૩ જિલ્લામાં વળતર ચુકવવામાં આવ્યુ છે. જાન્યુઆરી -૨૦૨૨ થી આજદિન સુધી અનેક વખત લેખિત અને મોખિક રજુઆત કરી હોવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી.

ખેડૂતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને સંબોધી આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગત તારીખ 21 જુલાઇ ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથેની મીટીંગમાં D.L.P.C. પ્રમાણે બજારકિંમત નકકી કરવાનો નિર્ણય કરાયો પણ તેમાં કોઇપણ પ્રકારની પ્રગતિ સરકારી પ્રશાસન દ્વારા કરવામાં આવી નથી જેથી ભરૂચ જિલ્લાના ત્રણેય યોજનાના અસરગ્રસ્ત ખેડૂતોમાં ખૂબ નિરાશા છવાઇ છે .

જો ભરૂચ જિલ્લાના અસરગ્રસ્તોને ૭ દિવસમાં પ્રતિ ચોરસ મીટર રૂ. 900 થી રૂ. 1200 પ્રમાણે વળતર આપવામાં નહી આવે તો તા .૧૨ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીની મહત્વકાંક્ષી યોજનાના વિરોધ કરવા માટે ગાંધી ચીંધ્યા માર્ગે મહા રેલી યોજવામાં આવશે ની ચિમકી પણ ઉચ્ચારાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!