
ગુજરાત રાજ્યના ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના 10 શિક્ષકોને પાંચમી સપ્ટેમ્બર “શિક્ષકદિન”ના દિવસે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાઉન્સિલ, ન્યુ દિલ્હી દ્વારા ‘તાજ રીજન્ટા હોટલ’, વડોદરા ખાતે શિક્ષણ ક્ષેત્રે માનવ કલ્યાણ, સેવા સમર્પણ તથા કર્તવ્ય નિષ્ઠાના પ્રેરણા સ્ત્રોત સમાન શ્રેષ્ઠ 10 શિક્ષકોને સન્માન પત્ર તથા મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે.
“આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર કાઉન્સિલ” દ્વારા ઉપરોક્ત 10 શિક્ષકોને માનવ બ્રેવરી 2022 ના માનક ટ્રોફી તથા સન્માન પત્ર શિક્ષક દિન નિમિત્તે “ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એવોર્ડ” પ્રાપ્ત થશે.
10 શિક્ષકો પૈકી અંકલેશ્વરના શાકિર જી. શેખ અને રમણભાઇ,ભરૂચ ના જગદીશ ભાઇ રોહિત અને પદમાબેન પરમાર(નગર પ્રાથમિક શિક્ષણ વિભાગ ના શિક્ષકો) પ્રાર્થના વિદ્યાલય ના આચાર્ય રમેશભાઇ પરમાર,માધ્યમિક વિભાગ નવીનચંદ્ર પરમાર, પ્રાથમિક વિભાગમાંથી મહેન્દ્ર ગોહિલ અને આશિષ માસ્તર,નર્મદા જિલ્લા માંથી નમિતાબેન મકવાણા,વડોદરા જિલ્લા પ્રાથમિક વિભાગ માંથી હસમુખભાઇ તેજપાલ ની પસંદગી થયેલ છે.