The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચ નારાયણ વિધાલયમાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માિન સમારોહ યોજાયો

ભરૂચ નારાયણ વિધાલયમાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માિન સમારોહ યોજાયો

0
ભરૂચ નારાયણ વિધાલયમાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માિન સમારોહ યોજાયો

ભરૂચ શકિતનાથ સર્કલ સ્થિત નારાયણ વિધાલયમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્‍માન સમારોહનો કાર્યકમ યોજાયો. જે કાર્યક્રમમાં વિધાનસભા ગાંધીનગરના નાયબ મુખ્ય દડક તથા ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ,શાળાના ભૂતપર્વ આચાર્ય વિજયસિંહ ઘરિયા ,શાળાના ચેરમેન હેમંતભાઇ પ્રજાપતિ ,EI.ભરતભાઇ સલાત તથા લીગલએડવાઇઝર  રવિકાંત મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

SSC,HSC બોર્ડની પરીક્ષામાં જવલંત સિદ્ધિ મેળવનાર વિધાર્થીઓ ઉપરાંત ધો.પ થી ૧૧ સાયન્સ, કૉમર્સમાં સારૂ પરિણામ મેળવનાર વિધાર્થીઓને મહેમાનના હરતે શિલ્ડ તેમજ પ્રમાણપત્ર એનાયત કરાયા, આ સાથે જ કલા મહાકુંભની વિવિધ સ્પધાઓમાં રાજયકક્ષાએ ભાગ લેનાર વિઘાર્થીઓ તથા તેમના માર્ગદર્શક શિક્ષકૉને પણ સન્‍માનિત કરવામાં આવ્યા.નિવૃત શિક્ષક કાશ્મીરાબેનને સન્‍માનિત કરવામાં આવ્યા હતા.

દુપ્યંતભાઇ પટેલે વિધાર્થીઓને પ્રેરણાત્મક સંદેશ આપી સફળ કારકીર્દી માટે મહેનત કરવા પ્રેરિત કર્યા હતા. કાર્યકમનું આયોજન શાળાના ડાયરેકટર તથા આચાર્ય ડૉ.ભગુભાઇના સફળ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.જેનું સમગ્ર સંચાલન વિધાબેન રાણા, ચીમનભાઇ પરમાર દ્વારા કરવામાં આવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!