The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

આમોદમાં ગણેશ ચતુર્થી નિમિત્તે પ્રાચીન ગણપતિ મંદિરથી ચૂરમાના લાડું વહેંચાયા

આમોદ નગરમાં આવેલા પ્રાચીન ગણપતિ મંદિરે જ્યાં સ્વયં સ્વામિનારાયણ ભગવાને ગણપતિ દાદાની આરતી કરી હતી.જે ગણપતિ દાદાની પ્રતિમા જમણી સૂંઢના રિધ્ધિ- સિધ્ધિ સહિતની એક જ પથ્થરમાંથી બનેલી પ્રતિમા છે.જે ગણપતિ દાદાને ગણેશ ચતુર્થી નિમિત્તે સુંદર શણગાર કરવામાં આવ્યો હતો.તેમજ દુંદાળાદેવની વિશેષ પુંજા કરવામાં આવી હતી.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આમોદ નગરમાં દરેક હિન્દૂ ભક્તજનના ઘરે દેશી ઘીમાં બનાવેલા ચૂરમાના લાડું ગણેશ યુવક મંડળોના સહકારથી વહેંચવામાં આવ્યા હતાં.આમોદ નગરની ધર્મ પ્રેમી બહેનોએ લાડું બનાવવાની સેવા કરી હતી.

ગણેશ ચતુર્થી એટલે ગણપતિ દાદાનો જન્મ દિવસ હોવાથી ગણપતિ દાદાને પારણે ઝુલાવવામાં આવ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો દર્શન માટે મંદિરે ઉમટી પડ્યાં હતાં.અને મંદિરમાં દર્શન માટે ભારે ભીડ જામી હતી.બપોરે બાર કલાકે ગણપતિ દાદાની આરતીનો સૌએ લાભ લીધો હતો.તેમજ ફટાકડાની આતશબાજી તેમજ ઢોલ નગારાના સથવારે ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.

પ્રાચીન ગણપતિ દાદાન મંદિરે મંગલ મૂર્તિની પૂજા અર્ચના તેમજ આરતી કર્યા બાદ ગણેશ યુવક મંડળોએ પોતપોતાનાં પંડાલમાં દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી કરવામાં આવી હતી.

  • રિપોર્ટર : વિનોદ પરમાર,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!