
સુરતના બાર એસોસિએશનના વકીલ મેહુલ બોધરા ઉપર ટીઆરબીના સુપરવાઈઝર સાજન ભરવાડે યુનિફોર્મ પહેર્યા વગર,સરકારી ગાડી વિના રિક્ષામાં બેસીને વગર રસીદે ગેરકાયદે વાહન ચાલકો પાસેથી ખંડણી ઉઘરાવતા કાયદાના જાણકાર એવા એડવોકેટ મેહુલ બોઘરાએ આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા અને તેને પ્રોત્સાહન ના મળે માટે તેને રોકવા જતાં સાજન ભરવાડે એડવોકેટ મેહુલ બોધરા ઉપર લાકડી વડે જીવલેણ હુમલો કરતાં સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતાં.
ત્યારે આમોદના બાર વકીલ એસોસિએશન દ્વારા પણ આજ રોજ આમોદ નાયબ મામલતદાર કિંજલ પરમારને આવેદનપત્ર આપી વકીલોએ વકીલ એકતા જીંદાબાદના નારા સાથે સુરતના વકીલ ઉપર થયેલા જીવલેણ હુમલાને સખત શબ્દોમાં
- રિપોર્ટર : વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ