The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News આખરે ભરૂચના માર્ગ અને મકાન વિભાગે 91 KM ના રસ્તાનું રીપેરીંગ કર્યુ !

આખરે ભરૂચના માર્ગ અને મકાન વિભાગે 91 KM ના રસ્તાનું રીપેરીંગ કર્યુ !

0
આખરે ભરૂચના માર્ગ અને મકાન વિભાગે 91 KM ના રસ્તાનું રીપેરીંગ કર્યુ !

ભરૂચના માર્ગ અને મકાન વિભાગે રાતો રાત જાદુની છડી શહેર અને જિલ્લાના બિસ્માર બનેલા એવા 91 કિલોમીટરના માર્ગો પૈકી 63 KM માં રૂપિયા 4.30 કરોડના ખર્ચે રાત દિવસ એક કરી કરાયેલી કામગીરી ક્યાં રસ્તાઓ ઉપર કરી તેની દશા સુધારાઈ તેને લઈ ભરૂચના વાહનચાલકો મુંઝવણમાં મુકાઈ ગયા છે.

વરસાદના કારણે બિસ્માર બનેલા ભરૂચના 91 કિમીના રસ્તાની તાકીદના ધોરણે મરામત કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં 63 કિમીના રસ્તાની મરામત પૂર્ણ કરી દેવાયાનો દાવો માર્ગ અને મકાન વિભાગે કર્યો છે. અંદાજિત રૂ. 4 કરોડ 30 લાખના ખર્ચે કામગીરી હાથ ધરાતા વાહન ચાલકોને હાલાકીમાંથી મુક્તિ મળી હોવાની કેફિયત પણ માર્ગ અને મકાન વિભાગે વ્યક્ત કરી છે.

લોકોને રાહત પહોંચે તે માટે માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા શનિવારથી વરસતા વરસાદમાં પણ ભરૂચના વિવિધ વિસ્તારના રસ્તાની મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગેરંટી પિરીયડ ઘરાવતા સંબંધિત ઈજારાધારકો પણ રસ્તાઓમાં પેચવર્ક કરવાની કામગીરી કરી રહ્યા છે.ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં કુલ 91 કિમીના પર રસ્તાને નુકશાન થયું છે.જેમાં કેટલાક રસ્તાના સ્ટ્રક્ચર , સપાટી અને સાઈડ સોલ્ડર ડેમેજ થતા વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ ભરૂચ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા રસ્તાની મરામત કામગીરી પર સતત ધ્યાન કેન્દ્રિત કરી દિવસ – રાત રીપેરીંગ કામગીરી ચાલુ કરાઈ હતી. છેલ્લા 4 દિવસ દરમિયાન ફરી વરસાદ વરસતા રીપેરીંગ થયેલા રસ્તા ફરી ડેમેજ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!