
ભરૂચ શહેર મા વરસાદના કારણે પડેલ ખાડા ના મુદ્દે જય ભારત રિક્ષા એસોસિયેશન દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.
ભરૂચ ના રેલવે સ્ટેશન થી નારી ગૃહ નો રસ્તો અત્યંત બિસ્માર થઈ ગયો છે .વારંવાર રજૂઆત બાદ પણ સ્થતિ મા કોઈ સુધાર ન થતાં રિક્ષા ચાલકો ને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું હોય આ મુદ્દે ખાડા મા બેસી જઈ રિક્ષા ચાલકો એ વિરોધ નોંધાવી શાસક વિપક્ષ પર આક્ષેપ કરી યુદ્ધ ના ધોરણે મરામત માટેની માંગ કરી હતી.
વિરોધ પ્રદર્શન કરતા રીક્ષા એસોસિયેશનના પ્રમુખ આબિદ મિરઝાએ જણાવ્યું કે, ભરૂચ રેલવે સ્ટેશનથી નારી કેન્દ્ર સુધીનો સમગ્ર જાહેર માર્ગ વરસાદી પાણીના કારણે તળાવમાં ફેરવાઈ ગયો છે બીસ્માર રસ્તાના કારણે રીક્ષા ચાલકોએ રીક્ષામાં પેસેન્જરને જીવના જોખમે લઈ પસાર થવાની ફરજ પડી રહી છે અને ઘણી વખત રીક્ષા પલટી પણ મારી જાય છે.જેના કારણે અકસ્માત થાય છે. ટુવિલર વાહન ચાલકો પોતાના પરિવાર સાથે આ માર્ગ ઉપરથી પસાર થાય છે ત્યારે મસ મોટા ખાડાઓમાં ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થતી વેળા ફટકાતા હોય છે જેમાં તેઓના કપડા બગડવા સાથે તેઓની જાલમાલને નુકસાન થાય છે. આટલી મોંઘવારીમાં રીક્ષા ચાલક હોય પોતાના પરિવારનું ગુજરાન ચલવું કે રીક્ષા નું મેન્ટેનન્સ કરવું તે ખબર પડતી નથી. માટે યુદ્ધ ના ધોરણે રસ્તાઓના મરામત માટેની માંગ કરી હતી.