
આઝાદીના 75 વર્ષના અમૃતપર્વ નિમિત્તે શ્રવણ વિદ્યાધામમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત વાણીની દેવી સરસ્વતી માતાના શ્લોકથી કરવામાં આવી.
ત્યારબાદ આ સમારોહના મખ્ય મહેમાન બલદેવભાઈ પ્રજાપતિ કે જેઓ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડોદરા વિભાગના સંઘ ચાલક, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય અઘ્યક્ષ, ઉદ્યોગપતિ) તેઓનું પુષ્પગુચ્છ તથા મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવ્યું. મહેમાન દ્વારા પ્રસંગોચિત ઉદ્દબોધન કરવામાં આવ્યું.
તેમણે કહ્યું કે દેશ સોને કી ચિડિયા હતો, અનેક મહાપુરુષોના બલિદાનથી સ્વતંત્રતા મળી,ચંદ્રશેખર -ભગતસિંહ -વીર સાવરકર -સુભાષચંદ્ર બોઝને યાદ કર્યા, પ્રથમ વડાપ્રધાન સુભાષ ચંદ્ર બોઝ હતાં, અનેક ક્ષેત્રોમાં દેશ આજે આગળ છે, સ્વછતા આજે પણ દેશમાં દેખાય છે. જેવી અનેક બાબતો મહેમાનએ એમના વક્તવ્યમાં રજૂ કરી.ત્યારબાદ આ વર્ષે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. આમ, આઝાદીના અમૃતપર્વની ઉલ્લાસ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.