
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે સમગ્ર દેશ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માર્ગદર્શન હેઠળ ભવ્ય ઉજવણી કરી રહ્યા છે.
જેમાં માનનીય મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા 73માં વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે તા12/08/2022 ના રોજ ભરૂચ ખાતે થી દુષ્યંતભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. સાથે અંગારેશ્વર ગામ ખાતે નરેન્દ્ર મોદી વન યોજના હેઠળ 75 વડ તેમજ અન્ય વૃક્ષોનુ વૃક્ષારોપણ કરવામા આવ્યુ હતુ.જેની તકતીની અનાવરણ વિધિ ગામના ઉપસરપંચ તેમજ ગ્રામજનો દ્વારા સદર નમો યોજના ને ગ્રામજનો માટે ખુલ્લી મુકવામા આવી હતી.